સોરઠી સંતવાણી/ક્રિયાશુદ્ધિ

Revision as of 11:26, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ક્રિયાશુદ્ધિ|}} <poem> વચન સુણીને બેઠાં એકાંતમાં ને :::: સુરતા લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ક્રિયાશુદ્ધિ

વચન સુણીને બેઠાં એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે,
સંકલ્પ વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનુંની માંય રે —
ભાઈ રે! ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયોને
વરતે છે એવાં વ્રતમાન રે. — વચન.
ભાઈ રે! ચંદ્રસૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે રે
એથી આવી ગઈ છે સાન રે. — વચન.
ભાઈ રે! ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને
પ્રકટ્યું નિરમળ જ્ઞાન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.