સોરઠી સંતવાણી/પ્રપંચત્યાગ

Revision as of 11:36, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રપંચત્યાગ|}} <poem> અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને :::: ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રપંચત્યાગ

અભિયાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને
ન રે’વું ભેદવાદીની સાથ રે,
કાયમ રે’વું એકાંતમાં ને
માથે સતગુરુજીનો હાથ રે
ભાઈ રે તીરથ વર્ત પછી કરવાં નહીં ને
ન કરવાં સતગુરુનાં કર્મ રે,
એવી રે ખટપટ છોડી દેવી ને
જ્યારે જણાય માયલો મર્મ રે. — અભિયાસ.
ભાઈ રે હરિમય જ્યારે જગત જાણ્યું ને
ત્યારે પરપંચથી રહેવું દૂર રે,
મોહ સઘળો પછી છોડી દેવો ને
હરિ ભાળવા ભરપૂર રે. — અભિયાસ.
ભાઈ રે મેળો મંડપ કરવાં નહીં ને
ઈ છે અધૂરિયાંના કામ રે
ગંગાસતી એમ બોલિયાં ને
ભાળવા હોય પરિપૂરણ રામ રે. — અભિયાસ.