સોરઠી સંતવાણી/છાનામાં છાની

Revision as of 09:24, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


છાનામાં છાની

પદમાવંતીનો જયદેવ સ્વામી, પાનબાઈ,
એનો પરિપૂરણ કહું ઇતિહાસ,
એકાગ્ર ચિત્તે સાંભળો, પાનબાઈ,
એ તો થયા હરિના દાસ —
ભાઈ રે! ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે,
નામ અષ્ટપદ કહેવાય,
પદ પદ પ્રતે ભગતિરસ પ્રગટ્યો, પાનબાઈ,
જેથી પદમાવતી સજીવન થાય. — પદમાવંતીનો.
ભાઈ રે! ગોપીયું ને કૃષ્ણજીની લીલા લખતા,
જયદેવ રિયા જોને સમાઈ,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તગુણ માંઈ. — પદમાવંતીનો.
ભાઈ રે! એવી રે ભગતિ છાનામાં છાની, પાનબાઈ!
ને હું કહું છું તે સમજાય,
ગંગા રે સતી એમ બોલિયાં,
તે જીવ મટીને ગોવિંદરૂપ થાય. — પદમાવંતીનો.

[ગંગાસતી]