સોરઠિયા દુહા/86

Revision as of 09:33, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|86| }} <poem> પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં; વડે જીભના ઘાવ, ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


86

પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં;
વડે જીભના ઘાવ, રતિ ન ઓખદ રાજિયા.

આ શરીર ઉપર તલવારના ઝાટકા પડ્યા હોય તો તેના પાટાપિંડો અને બીજા અનેક ઉપચાર થઈ શકે છે. પણ હે રાજિયા! કોઈના શબ્દના ઘા પડ્યા હોય તો એનું ઓસડ કાંઈ મળતું નથી.