ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યનંદી-૧

Revision as of 11:50, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યનંદી-૧ [ઈ.૧૫૫૯ સુધીમાં] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિની પરંપરામાં સમયભક્તના શિષ્ય. ૩૨/૩૬ કડીના ‘રૂપકમાલા/શીલરૂપકમાલા’ (લે.ઈ.૧૫૫૯)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ : ૧’ મુજબ જિનસમુદ્રસૂરિને સૂરિપદ અપાયું (ઈ.૧૪૭૪) અને તેમનું અવસાન થયું (ઈ.૧૪૭૯) તે બે વચ્ચેના ગાળામાં આ કૃતિ રચાઈ છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. જૈહાપ્રોસ્ટા; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]