કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪. તમે શું કહેશો?

Revision as of 16:00, 13 September 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૪. તમે શું કહેશો?

તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?


(વિદેશિની, પૃ. ૨૮-૨૯)