મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રારંભિક

Revision as of 00:45, 3 March 2024 by Meghdhanu (talk | contribs)
અનુઆધુનિક ગુજરાતી કાવ્યસંપદા શ્રેણી
મનોહર ત્રિવેદીનાં કાવ્યો




સંપાદન: વિપુલ પુરોહિત



શ્રેણી સંપાદન : મણિલાલ હ. પટેલ



એકત્ર ફાઉન્ડેશન (USA)
(ડિજિટલ પ્રકાશન)



પ્રકાશન માહિતી



મનોહર ત્રિવેદીનાં કાવ્યો
સંપા. વિપુલ પુરોહિત

EKATRA FOUNDATION (USA)


© સંપાદન : સંપાદકના
© કવિતા : કવિના


ડિજિટલ પ્રકાશન
પ્રથમ આવૃત્તિ : ૨૦૨૧


ટાઇપસેટિંગ : મહેશ ચાવડા
દિયા અક્ષરાંકન, ચાવડા નિવાસ, મુ.પો. વાસણા(બો), તા. બોરસદ, જિ. આણંદ
૩૮૮ ૫૪૦. મો. ૯૧૦૬૬ ૩૫૩૩૭


સંપાદકનો પરિચય

ડૉ. વિપુલ પુરોહિત ગુજરાતી વિષયના અધ્યયનશીલ અધ્યાપક છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરમાં ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં એસોસિએટ પ્રોફેસર પદે કાર્યરત છે. બે દાયકાની તેમની અધ્યાપન કારકિર્દીમાં ચાલીસથી વધુ સમીક્ષા-અભ્યાસલેખો ગુજરાતી ભાષાનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રકાશિત થયા છે. ‘ગુજરાતી લલિતનિબંધઃ સ્વરૂપ અને સમૃદ્ધિ’ (૨૦૧૦) નામે તેમનો સંશોધન ગ્રંથ પ્રકટ થયો છે. તે ઉપરાંત ‘ભાવબિંબ’ (૨૦૧૮) અને ‘સચેતસ’ (૨૦૧૮) નામે વિવેચનગ્રંથ પ્રકટ થયા છે. કેન્દ્રીય હિન્દી સંસ્થાન, આગ્રાના ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ ગુજરાતી-હિન્દી બોલીકોશમાં પણ ગુજરાતી ભાષાનાં તજ્‌જ્ઞ તરીકે સેવા આપી છે. તેમના માર્ગદર્શનમાં ત્રણ વિદ્યાર્થીઓ પીએચ.ડી.નો તેમજ ૧૦ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.નો અભ્યાસ પૂર્ણ કર્યો છે. નિબંધ, કવિતા, કથાસાહિત્ય તેમના મુખ્ય રસ અને અભ્યાસના કેન્દ્રો છે. ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાત સાહિત્ય અકાદમીની સહાયથી યોજાતી વિદ્યાર્થીલક્ષી સાહિત્યિક અભ્યાસશિબિરોમાં આયોજન-સંયોજનની કામગીરીમાં સક્રિય રહ્યા હતા. ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત-આયોજિત વિદ્યાર્થીકેન્દ્રી વાંચન-અભ્યાસશિબિરમાં પણ બે વર્ષથી સંયોજકની ભૂમિકાથી કાર્ય કરે છે. ‘નાટ્યવર્તુળ’, ભાવનગરના ઉપક્રમે કવિશ્રી દલપતરામ રચિત અને ડૉ. મહેન્દ્રસિંહ પરમાર દિગ્દર્શિત ‘મિથ્યાભિમાન’ નાટકમાં અભિનેતા તરીકે રઘનાથ ભટ્ટની ભૂમિકા ભાવનગર, સૂરત, અમદાવાદ, ગાંધીનગર, કલકત્તા, વડોદરા, મહુવા (અસ્મિતાપર્વ), સુરેન્દ્રનગર જેવાં ઘણાં શહેરોનાં પ્રયોગોમાં ભજવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સંવાહક તરીકે પણ સફળ કામગીરી બજાવી છે. વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે ભાવનગર જ નહિ ગુજરાતભરમાં તેઓ જાણીતા છે.