બાળ કાવ્ય સંપદા/તારા
Revision as of 02:28, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારા|લેખક : ન્હાનાલાલ<br>(1877-1946)}} {{Block center|<poem> ગણ્યા ગણાય નહિ. વીણ્યા વિણાય નહિ. છાબડીમાં માય નહિ. તોય મારા આભલામાં ન્હાય. આકાશે પલકે ને ઝીણું ઝીણું મલકે. અંધારી રાતે એ દેવ કેરી આંખો, ના...")
તારા
લેખક : ન્હાનાલાલ
(1877-1946)
ગણ્યા ગણાય નહિ.
વીણ્યા વિણાય નહિ.
છાબડીમાં માય નહિ.
તોય મારા આભલામાં ન્હાય.
આકાશે પલકે
ને ઝીણું ઝીણું મલકે.
અંધારી રાતે એ દેવ કેરી આંખો,
નાનકડી ઉઘાડે તેજ કેરી પાંખો.