એકોત્તરશતી/૩૮. પ્રતિજ્ઞા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પ્રતિજ્ઞા

હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, નહિ થાઉં', જેને જે કહેવું હોય તે કહે. જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં. મેં કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે, જો મન જેવું મન જીતવા ન પામું, તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં, જો તે તપસ્વિની ન મળે તો. હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું, ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉ. જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે. મધુર વાયુથી અત્યંત ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે, કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે, જો તપસ્વિની ન મળે તો હું તપસ્વી નહિ થાઉં, નહિ થાઉં, તારા સમ, હું તાપસ નહિ થાઉં. જો તે તપને જોરે નવીન હૃદયમાં જો હું નવું વિશ્વ રચી ન શકું, જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મનાં દ્વાર તોડીને, કોઈ નવીન આંખને ઇશારો ન સમજી લઉં, જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં, નહિ થાઉં. જુલાઈ, ૧૯૦૦ ‘ક્ષણિકા’

(અનુ. નગીનદાસ પારેખ)