કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૫.તોરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૫.તોરણ

ચિનુ મોદી

પાણી વચ્ચે નાનું અમથું રણ હશે,
આંસુનું આ કેવું બંધારણ હશે !

ખેસવી લીધા બધા આધાર ને
શ્વાસને ટકવાનું કૈં કારણ હશે.

બંધ દરવાજા ઉઘાડો તો ખરા,
ભીંત છે તો ભીંતનું મારણ હશે.

આવી આવીને બધાં દર્પણ થયાં,
કેટલામું મારું આ પ્રકરણ હશે ?

પી જશું સાકી, હળાહળ ઝંખના,
એનું જો તુજ હાથથી વિતરણ હશે.

નર્કથી છૂટ્યાં તો આ વરદાન છે –
જાવ, ધરતી પર હવે વિચરણ હશે.

શોધી શકશો ઘર તમે મારું તરત,
સાત સપનાનું સૂકું તોરણ હશે.

૨૦, ૨૪-૬-૭૪
(દર્પણની ગલીમાં, પૃ.૩૭)