કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૫. ઝળહળ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૪૫. ઝળહળ


         ઝળહળ ઝળહળ અંધારું છે,
         હું એનો ને એ મારું છે.
         આ ઘર ઓ ઘર ને એ એ ઘર,
         ના મારું કે ના તારું છે.
         વાંધો શો છે વ્હેંચી લઈએ,
         અજવાળું તો મજિયારું છે.
         દુઃખને દુઃખ ભેટે છે હોંશે,
         આવું સુખ સૌથી સારું છે.
         કોક વખત એવું પણ લાગે,
         અજવાળું તો અંધારું છે.
         આભ અને એથી ઊંચે તું,
         પંખી કેવું ઊડનારું છે!.
         પડવું, ઊઠવું, ચાલ્યા કરવું,
         ભઈલાજી, આ સંસારું છે.
૩૦-૧૧-૧૯૯૭
(મનહર અને મોદી, પૃ. ૧૭)