કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૨. કેટલે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૪૨. કેટલે

કેટલું ચાલ્યો?
કોને પૂછું? ચરણને?
એ તો હજી ચાલ્યા જ કરે, સતત અવિરત.
કેટલું ચાલ્યો?
ઉત્તર ક્યાંથી મળે? ધારાવાહી માર્ગમાંથી?
એ ધારા તો એ જાય...રાધારૂપ.
કેટલે આવ્યો?
કોણ કહેશે? હૃદય?
એ તો હજી ધબક્યા કરે... વ્યાકુળ વ્યાકુળ.
કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ,
ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ,
હે ગોપીજનવલ્લભ!
અંધકારે તું તારક નીલમણિ
તારક નીલમણિ
નીલમણિ.

૧૬-૧૨-૮૬
(ભાંગેલા ડાબા હાથે પથારીમાં)

(જાગરણ — પાછલી ખટઘડી, પૃ. ૬૪)