ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કેશવરામ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કેશવરામ

રામનારાયણ વિ. પાઠક

કેશવરામ (રામનારાયણ વિ. પાઠક; ‘દ્વિરેફની વાતો’ ભાગ-૩, ૧૯૪૨) કેશવરામને ભૈરવની ઉપાસના હતી અને એમને અનુષ્ઠાનથી પુત્રપ્રાપ્તિ થઈ શકી હોત પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે અનુષ્ઠાન ન કરનાર કેશવરામ દ્વેષથી કીલા ભટ્ટ પર એનો પ્રયોગ કરી બેસે છે. અંતે બધા મોહથી મુક્ત થઈ સચ્ચિદાનંદ સરસ્વતી થયેલા કેશવરામ મંત્ર બીજાને ન આપતાં, એનું વિસર્જન કરી એના મોહથી પણ મુક્ત થાય છે. શક્તિનો દુરુપયોગ ન હોઈ શકે એ મર્મ પર વાર્તા કેન્દ્રિત છે.
ચં.