ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવસુંદરસૂરિશિષ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]