ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૈત્યવંદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ચૈત્યવંદન : સાધુ કવિઓ દ્વારા પ્રયુક્ત બૌદ્ધસ્તૂપ-ચૈત્ય અને જિનાલયનાં વર્ણન-સ્તુતિ કરતો ઢાળબદ્ધ મધ્યકાલીન કાવ્યપ્રકાર. તીર્થંકરની મૂર્તિને નમસ્કાર તથા દેરાસરની પ્રદક્ષિણા કરતી વેળા તીર્થંકરનું માહાત્મ્ય પણ એમાં ગવાતું હોય છે. ચૈત્યવંદનનું ગાન ધાર્મિકવિધિ રૂપે થાય છે. ર.ર.દ.