પોત્તાનો ઓરડો/ઋણસ્વીકાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઋણસ્વીકાર

IIAS, Shimlaનો, જેમની રાષ્ટ્રીય શિષ્યવૃત્તિએ મને આ પુસ્તક માટે વાંછિત અવકાશ પૂરો પાડ્યો. આ અનુવાદ એ શિષ્યવૃત્તિની આડપેદાશ છે. IIAS ખાતેના મારા વિદ્વાન મિત્ર પ્રો. તેજવંત સીંગ ગીલનો, શીમલાના મારા નિવાસ દરમિયાન લગભગ રોજે ઇવનિંગ વૉક દરમિયાન આ અનુવાદ વિશે તેમની સાથે ચર્ચા થતી. ભાષાભવન ખાતેના મારા મિત્ર ડૉ. ચિનુ મોદીનો, મારા આ પુસ્તકના વાચનને તેમણે ઉમળકાપૂર્વક સાંભળ્યું અને યોગ્ય સૂચનો કર્યાં. પુસ્તકમાંના કાવ્યાનુવાદો તેમણે પ્રેમપૂર્વક મઠારી આપ્યાં. ગૂર્જર ગ્રંથરત્નનો, તેમજ શ્રી મનુભાઈ શાહ તથા સમગ્ર ગૂર્જર-પરિવારનો. મારા દરેક કાર્યનું મૂલ્ય સમજનાર મારાં માતાપિતા-પ્રોફેસર અંબાશંકર નાગર અને ભાનુમતી નાગરનો. પોત્તાના ઓરડા સાથે જન્મેલી કુટુંબની દીકરીઓ ચિ. તોરલ દેસાઈ, તેજલ દેસાઈ, નિધિ નાગર તથા નાનુ નાગરનો. તેમના પોત્તાના ઓરડાનું અસ્તિત્વ મારા નારીવાદી / ‘દીકરીવાદી*[1]’ વિચારમાં આશાનું એક નવું બળ પૂરે છે અને તેથીજ આ પુસ્તક તેમને સમર્પિત છે. મારા અતિ પ્રિય મિત્ર સમા પતિ હરીશનો, કે જે મિત્રવર્તુળમાં ઘણી વાર ચર્ચાનું કારણ બનતા હોય છે, પોત્તાના ઓરડાના મારા આગ્રહને કારણે. પણ તેમને આ પ્રકારે મિત્રોને વિચારતા કરવાનું ગમે છે.

  1. * પ્રો. કે. એસ. શાસ્ત્રી મને આ રીતે ઓળખાવે છે. મારા નારીવાદના આવા નવીન નામકરણ માટે તેમને ધન્યવાદ.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

૯-૯-૧૯૯૯
અંગ્રેજી વિભાગ,
ભાષાભવન,
ગુજરાત યુનિવર્સિટી.

– રંજના હરીશ