સોરઠી સંતવાણી/કર્તાપણું ક્યારે મટે?

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કર્તાપણું ક્યારે મટે

રમીએ તો રંગમાં રમીએ, પાનબાઈ!
મેલી દઈ આ લોકની મરજાદ,
હરિના દેશમાં ત્રિગુણ નવ મળે
નો હોય ત્યાં વાદ ને વિવાદ —
ભાઈ રે! કરતાંપણું કોરે મૂકશો, પાનબાઈ!
ત્યારે આવશે પરપંચનો અંત!
નવધા ભગતિમાં નિરમળા રે’વું
એમ કહે છે વેદ ને સંત. — રમીએ.

ભાઈ રે! સાંગોપાંગ એક રસ સરખો, પાનબાઈ!
બદલાય ન બીજો રંગ.
સાચાની સંગે કાયમ રમવું, પાનબાઈ
કરવી ભગતી અભંગ. — રમીએ.
ભાઈ રે! ત્રિગુણ સહિત મરને કરે નિતક્રિયા,
લાગશે નૈ કરતાનો ડાગ;
ગંગા રે સતી એમ બોલિયાં
તેને નડે નહીં કરમનો ભાગ. — રમીએ.