સોરઠી સંતવાણી/છાનામાં છાની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


છાનામાં છાની

પદમાવંતીનો જયદેવ સ્વામી, પાનબાઈ,
એનો પરિપૂરણ કહું ઇતિહાસ,
એકાગ્ર ચિત્તે સાંભળો, પાનબાઈ,
એ તો થયા હરિના દાસ —
ભાઈ રે! ગોવિંદનું ગીત કીધું જયદેવે જ્યારે,
નામ અષ્ટપદ કહેવાય,
પદ પદ પ્રતે ભગતિરસ પ્રગટ્યો, પાનબાઈ,
જેથી પદમાવતી સજીવન થાય. — પદમાવંતીનો.
ભાઈ રે! ગોપીયું ને કૃષ્ણજીની લીલા લખતા,
જયદેવ રિયા જોને સમાઈ,
સ્વહસ્તે આવીને ગોવિંદ લખી ગયા,
પ્રત્યક્ષ હસ્તગુણ માંઈ. — પદમાવંતીનો.
ભાઈ રે! એવી રે ભગતિ છાનામાં છાની, પાનબાઈ!
ને હું કહું છું તે સમજાય,
ગંગા રે સતી એમ બોલિયાં,
તે જીવ મટીને ગોવિંદરૂપ થાય. — પદમાવંતીનો.

[ગંગાસતી]