સોરઠી સંતવાણી/સંદેશો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંદેશો

કે’જો સંદેશો ઓધા કાનને રે
તમે છો માયલા ઓધાર રે. — કે’જો.
રત્યું પાલટીયું વન કોળિયાં રે
બોલે બાપૈયા ઝીણા મોર રે
પિયુ! પિયુ! શબદ સુણાવતાં
હૈયું રિયલ નૈ મારું ઠોર રે. — કે’જો.
આપે કાળા ને વળી કૂબજા રે
જોતાં મળી છે એને જોડ રે
તાળી દૈને તરછોડિયાં રે
તુંને ઘટે નૈ રણછોડ રે. — કે’જો.
આવું જો જાણું તો જાવા દેત નૈ
રાખત ગોકળિયા મોજાર રે,
મુવલને નવ મારીએં રે
મોહન મનથી વિચાર રે. — કે’જો.
એટલી અરજ વ્રજ-નારની
વાંચીને કરજો વિચાર રે,
દરશન દેજો દેજો દેવીદાસને
હરિવર રે’જો પાસ રે. — કે’જો.

[દેવીદાસ]