સોરઠી સંતવાણી/મ જાવ મથુરાની વાટે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મ જાવ મથુરાની વાટે

ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે.
મ જાવ મથુરાની વાટે રે.
કામરૂ મલકમાં વદ્યાઉં વેચાય છે ને
મથુરા નગરમાં હાટે હાટે રે. — મ જાવ.
મથુરા ગિયાનું તમે મુખથી કહે છો રે,
અનડાં ન ભાવે ઉચાટે રે. — મ જાવ.
નાથજી બન્યાનાં અમે ફરીએં નોધારાં રે
જાયેં જમનાં કેરી વાટે રે. — મ જાવ.
બાઈ મીરાં કે’ છે પ્રભુ ગિરધરના ગુણ,
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.

[મીરા]