કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪. તમે શું કહેશો?


૪. તમે શું કહેશો?

તરફડાટ એટલે…?
તમે કહેશો
જલ બહાર આણેલી
કોઈ માછલીને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને
તમે શું કહેશો?


(વિદેશિની, પૃ. ૨૮-૨૯)