ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પગલાં
પગલાં
મનોહર ત્રિવેદી
પગલાં (મનોહર ત્રિવેદી; ‘ગજવામાં ગામ’, ૧૯૯૮) અપરિણીત અને નિસ્તેજ થતો જતો, સુંદર નાનપણથી કમુ સાથેની સાંભરણોથી અજંપ છે: કમુએ એની આંગળી કરડી ખાધી હતી અને બાથ ભીડીને સૂતેલાં કમુ-સુંદરના ભારથી વૈયાં ઉડાડવાનો માંડવો કડડ બોલતાં તૂટી પડ્યો હતો. છેલ્લી વારનું મળવા આવેલી ત્યારે ભીની ભોંયમાં પડેલાં કમુનાં પગલાં ભુંસાઈ ન જાય એ માટે દ્રાક્ષના માંડવામાં સુંદર ગોડ પણ કરાવતો ન હતો. પણ આજે તો રાઘવે એ પગલાં ક્યારનાંય ગોડી નાખ્યાં છે. વીતેલી વેળાની મીઠી સાંભરણો અને અસહ્ય વર્તમાન વચ્ચે ઝૂલતો નાયક અહીં પ્રત્યક્ષ થયો છે.
ઈ.