ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાસાગર-૧


વિદ્યાસાગર-૧ [ઈ.૧૬૧૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિશિષ્ય સુમતિકલ્લોલના શિષ્ય. ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦) અને ‘પ્રાકૃતવ્યાકરણદોધક-અવચૂરિ’ના કર્તા. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]