ભરત વિંઝુડાની ગઝલસંપદા/ભીનાં નીકળ્યાં

૬૦
ભીનાં નીકળ્યાં

ચુંબનો ઝાકળ સરીખાં નીકળ્યાં,
બે ઘડી આ ગાલ ભીના નીકળ્યા.

પેટમાંથી એક ટીપું ના મળ્યું,
તોય ઘરમાં ખાલી શીશા નીકળ્યા.

જોઉં જેમાં ને અલગ દેખાઉં છું,
ગામમાં એવા અરીસા નીકળ્યા.

જેમને હું એ સમજતો’તો અહીં,
એ નહીં ને કોઈ બીજા નીકળ્યા.

જે નદીના પૂરમાં ડૂબ્યું નગર,
આખરે પાણીનાં ટીપાં નીકળ્યાં.

(ચિત્તની લીલાઓ)