હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧

કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧

કરુણાભર્યા
હાડકાંના દાગતરની જેમ
કવિતા સર્જરી કરે છે
ને કાળજીપૂર્વક
બદલે છે દુખિયારી કીડીના ઘૂંટણના સાંધા