બે હજાર ચોવીસ સમક્ષ/કણસાટ – કલ્પના પાલખીવાળા: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 8: Line 8:
હવે સંગ્રહની વાર્તાઓ વિષે વાત માંડીએ. આ સંગ્રહમાં વાર્તાઓ મુખ્યત્વે માનવમનની પીડાને વાચા આપે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ડબલ બેડ’ માનસિક પીડા અનુભવતી નાયિકાની મનોવૃત્તિને પ્રગટ કરે છે. વર્ષો પહેલાં નવોઢા બનીને આવેલાં રમીલાબહેનને તેમનાં સાસુ સુપ્રિયાબહેન લગ્નજીવનની પ્રથમ રાત્રીએ કશાયે કારણ વિના ડબલ બેડ પર સૂવાના સુખથી વંચિત રાખે છે. આ અન્યાયને પોતાના મનમાં સંઘરીને રોજ પીડાતાં રમીલાબહેન વૃદ્ધાવસ્થામાં પણ ભૂલી શકતાં નથી. ઑફિસમાં કે સ્ટાફ સાથે કે પાડોશી સાથે મિલનસાર રહેનાર રમીલાબહેન એકાંતમાં સાસુ પર બદલાની ભાવનાથી જે અત્યાચાર ગુજારે છે તે વાર્તાનો વિષય છે. વિષય થોડો વિચિત્ર અને નવો છે. થોડી વધુ માવજત રાખીને આ વાર્તાને વધુ પ્રભાવક બનાવી શકાઈ હોત. અહીં રમીલાબહેનના ચરિત્રને માનસિક રોગી તરીકે વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરી શકાયું હોત. ઘણી બિનજરૂરી વિગતો કે પરિવેશ ટાળી શકાયાં હોત. સુપ્રિયાબહેનના પાત્ર વિષે લેખિકા પોતે જ અવઢવમાં હોય તેવું લાગે.  
હવે સંગ્રહની વાર્તાઓ વિષે વાત માંડીએ. આ સંગ્રહમાં વાર્તાઓ મુખ્યત્વે માનવમનની પીડાને વાચા આપે છે. સંગ્રહની પ્રથમ વાર્તા ‘ડબલ બેડ’ માનસિક પીડા અનુભવતી નાયિકાની મનોવૃત્તિને પ્રગટ કરે છે. વર્ષો પહેલાં નવોઢા બનીને આવેલાં રમીલાબહેનને તેમનાં સાસુ સુપ્રિયાબહેન લગ્નજીવનની પ્રથમ રાત્રીએ કશાયે કારણ વિના ડબલ બેડ પર સૂવાના સુખથી વંચિત રાખે છે. આ અન્યાયને પોતાના મનમાં સંઘરીને રોજ પીડાતાં રમીલાબહેન વૃદ્ધાવસ્થામાં પણ ભૂલી શકતાં નથી. ઑફિસમાં કે સ્ટાફ સાથે કે પાડોશી સાથે મિલનસાર રહેનાર રમીલાબહેન એકાંતમાં સાસુ પર બદલાની ભાવનાથી જે અત્યાચાર ગુજારે છે તે વાર્તાનો વિષય છે. વિષય થોડો વિચિત્ર અને નવો છે. થોડી વધુ માવજત રાખીને આ વાર્તાને વધુ પ્રભાવક બનાવી શકાઈ હોત. અહીં રમીલાબહેનના ચરિત્રને માનસિક રોગી તરીકે વધુ પ્રભાવક રીતે પ્રસ્તુત કરી શકાયું હોત. ઘણી બિનજરૂરી વિગતો કે પરિવેશ ટાળી શકાયાં હોત. સુપ્રિયાબહેનના પાત્ર વિષે લેખિકા પોતે જ અવઢવમાં હોય તેવું લાગે.  
‘કાલ – ગઈ અને આવતી’ વાર્તા પણ માત્ર ઘટના બની રહે છે. વાર્તાકાર વાર્તાના રહસ્યને ઉજાગર કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. વાર્તાના આરંભ મધ્ય કે અંતના તાંતણા કેમે કરીને જોડાઈ શકતા નથી. આકાશવાણીમાં કામ કરતી વાર્તાકથક સાક્ષીભાવે પોતાની નજર સામે બનેલી બે નિષ્ફળ પ્રેમકહાનીનું બયાન પ્રસ્તુત કરે છે. જેમાં એક સફળ પ્રેમકહાની અને બીજી વૃદ્ધાશ્રમના દ્વાર પાસે ઊભેલી કહાનીને અહીં રજૂ થતી જોઈ શકાય છે. વસ્તુસંકલનની દૃષ્ટિએ આ વાર્તા ઊણી ઊતરે છે.
‘કાલ – ગઈ અને આવતી’ વાર્તા પણ માત્ર ઘટના બની રહે છે. વાર્તાકાર વાર્તાના રહસ્યને ઉજાગર કરવામાં તદ્દન નિષ્ફળ જાય છે. વાર્તાના આરંભ મધ્ય કે અંતના તાંતણા કેમે કરીને જોડાઈ શકતા નથી. આકાશવાણીમાં કામ કરતી વાર્તાકથક સાક્ષીભાવે પોતાની નજર સામે બનેલી બે નિષ્ફળ પ્રેમકહાનીનું બયાન પ્રસ્તુત કરે છે. જેમાં એક સફળ પ્રેમકહાની અને બીજી વૃદ્ધાશ્રમના દ્વાર પાસે ઊભેલી કહાનીને અહીં રજૂ થતી જોઈ શકાય છે. વસ્તુસંકલનની દૃષ્ટિએ આ વાર્તા ઊણી ઊતરે છે.
‘ડેડી’ વાર્તા પણ એ જ ઘરેડમાં આગળ વધે છે. સૌદામિની અને સુધીર સાહિત્ય સાથે જોડાયેલું દંપતી છે. ગળાડૂબ કામમાં ડૂબેલાં બંને વચ્ચે, બે બાળકો થયા પછી અંતર ધીમેધીમે વધતું જાય છે. અંતે અલગ થયેલાં આ દંપતીનાં સંતાનો પોતાના બાપ સાથે રહેવા ઝૂરે છે. વર્ષો જતાં કન્નડ સાહિત્યના સર્જન માટે સાહિત્ય અકાદેમી એવૉર્ડ લેવા દિલ્હી આવતા સુધીરને તેની દીકરી પોતાના ઘરે રહેવા બોલાવે છે. મા-બાપની વચ્ચે વધેલી ખાઈ બાળકોનાં મન પર કેવી અસર કરે છે તે આ વાતનો મુખ્ય સૂર છે. પણ લેખિકા આ વાર્તાના વિષયને હજુ વધુ ધારદાર રીતે રજૂ કરી શક્યાં હોત.  
‘ડેડી’ વાર્તા પણ એ જ ઘરેડમાં આગળ વધે છે. સૌદામિની અને સુધીર સાહિત્ય સાથે જોડાયેલું દંપતી છે. ગળાડૂબ કામમાં ડૂબેલાં બંને વચ્ચે, બે બાળકો થયા પછી અંતર ધીમેધીમે વધતું જાય છે. અંતે અલગ થયેલાં આ દંપતીનાં સંતાનો પોતાના બાપ સાથે રહેવા ઝૂરે છે. વર્ષો જતાં કન્નડ સાહિત્યના સર્જન માટે સાહિત્ય અકાદેમી એવૉર્ડ લેવા દિલ્હી આવતા સુધીરને તેની દીકરી પોતાના ઘરે રહેવા બોલાવે છે. મા-બાપની વચ્ચે વધેલી ખાઈ બાળકોનાં મન પર કેવી અસર કરે છે તે આ વાતનો મુખ્ય સૂર છે. પણ લેખિકા આ વાર્તાના વિષયને હજુ વધુ ધારદાર રીતે રજૂ કરી શક્યાં હોત.  
આ સંગ્રહની તદ્દન નબળી કહી શકાય તેવી વાર્તા એટલે ‘ગાજરનો હલવો’. આખી વાર્તામાં એક ફકરામાં વાર્તાનું કથાનક છે અને તેના માટે પરિવેશ બનાવવાની મથામણ આખી વાર્તામાં લેખિકા કરતાં રહ્યાં છે. શિવરાત્રીના દિવસે ‘ગાજરના હલવા’ના પ્રસાદને તરછોડીને વાર્તાનાયિકા રીટાનો પતિ રમેશરાય લકવાગ્રસ્ત બને છે. વર્ષોથી ત્યજેલા ગાજરના હલવાને જ્યારે સાહિત્યલેખન-શિબિરમાં મહિલામંડળ ભેગું થાય છે, ત્યારે પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે બનાવેલો ગાજરનો હલવો લઈને આવેલાં રૂપાબહેન બધી જ સખીઓને પીરસે છે. આ હલવો રીટાને પોતાનો ભૂતકાળ તાજો કરાવે છે.  વાર્તાકાર વાર્તાની મુખ્ય ઘટનાને વિસ્તારવાને બદલે વધુ સમય ગાજરનો હલવો બનાવવાની રેસિપીમાં વેડફે છે. અહીં મહિલામંડળની બહેનોની વૃત્તિઓને ઉજાગર કરવાને બદલે વાર્તાના મુખ્ય સૂરને તે વધુ ઉપસાવી શક્યાં હોત. ‘ચિરંજીવ અને સુદીપ’ વાર્તામાં વર્ષોથી મગજમાં ઊંડાં મૂળ નાખી ગયેલા પુરુષવાદ સામે મહિલા-સમાનતાની નક્કરતાને તીવ્ર સ્વરે રજૂ કરાયેલી છે. એકંદરે વાર્તા માત્ર કાચો મુસદ્દો સાબિત થાય છે.  
આ સંગ્રહની તદ્દન નબળી કહી શકાય તેવી વાર્તા એટલે ‘ગાજરનો હલવો’. આખી વાર્તામાં એક ફકરામાં વાર્તાનું કથાનક છે અને તેના માટે પરિવેશ બનાવવાની મથામણ આખી વાર્તામાં લેખિકા કરતાં રહ્યાં છે. શિવરાત્રીના દિવસે ‘ગાજરના હલવા’ના પ્રસાદને તરછોડીને વાર્તાનાયિકા રીટાનો પતિ રમેશરાય લકવાગ્રસ્ત બને છે. વર્ષોથી ત્યજેલા ગાજરના હલવાને જ્યારે સાહિત્યલેખન-શિબિરમાં મહિલામંડળ ભેગું થાય છે, ત્યારે પોતાના દીકરાના જન્મદિવસ નિમિત્તે બનાવેલો ગાજરનો હલવો લઈને આવેલાં રૂપાબહેન બધી જ સખીઓને પીરસે છે. આ હલવો રીટાને પોતાનો ભૂતકાળ તાજો કરાવે છે.  વાર્તાકાર વાર્તાની મુખ્ય ઘટનાને વિસ્તારવાને બદલે વધુ સમય ગાજરનો હલવો બનાવવાની રેસિપીમાં વેડફે છે. અહીં મહિલામંડળની બહેનોની વૃત્તિઓને ઉજાગર કરવાને બદલે વાર્તાના મુખ્ય સૂરને તે વધુ ઉપસાવી શક્યાં હોત. ‘ચિરંજીવ અને સુદીપ’ વાર્તામાં વર્ષોથી મગજમાં ઊંડાં મૂળ નાખી ગયેલા પુરુષવાદ સામે મહિલા-સમાનતાની નક્કરતાને તીવ્ર સ્વરે રજૂ કરાયેલી છે. એકંદરે વાર્તા માત્ર કાચો મુસદ્દો સાબિત થાય છે.  
આ સંગ્રહની સારી કહી શકાય તેવી વાર્તા છે ‘સાટાપાટા.’ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી વાર્તાનાયિકા વિશ્વશાંતિ અને કલ્યાણની ભાવના સાથે રાજદ્વારી કચેરીમાં જોડાઈ છે. આ નોકરીના ભાગ રૂપે તે લગભગ અડધું વિશ્વ ખૂંદી વળે છે. પૈસો, સુખ, સમૃદ્ધિ, નામના બધું જ તેને આ નોકરીમાં મળે છે. પરંતુ માનવતાની ભાવનાવાળી નાયિકાને રાજદ્વારી નોકરીમાં દંભ, અમાનવીયતા અને યુદ્ધની વરવી વાસ્તવિકતા હચમચાવી મૂકે છે. નૈતિકતાના ભોગે આ સુંવાળી નોકરી ન કરવા માગતી નાયિકા બધું જ છોડીને મનોચિકિત્સકની ડૉક્ટરની ડિગ્રી મેળવીને પોતાની આસપાસના બાથમાં સમાય તેવા નાના સમૂહનાં આંસુ લૂછવાની કોશિશ કરવા મથે છે. આ વાર્તામાં માનવકલ્યાણ જ સર્વોપરિ છે તેવી ભાવનાને લેખિકા સ-રસ રીતે ઉપસાવી શક્યાં છે.  
આ સંગ્રહની સારી કહી શકાય તેવી વાર્તા છે ‘સાટાપાટા.’ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતી વાર્તાનાયિકા વિશ્વશાંતિ અને કલ્યાણની ભાવના સાથે રાજદ્વારી કચેરીમાં જોડાઈ છે. આ નોકરીના ભાગ રૂપે તે લગભગ અડધું વિશ્વ ખૂંદી વળે છે. પૈસો, સુખ, સમૃદ્ધિ, નામના બધું જ તેને આ નોકરીમાં મળે છે. પરંતુ માનવતાની ભાવનાવાળી નાયિકાને રાજદ્વારી નોકરીમાં દંભ, અમાનવીયતા અને યુદ્ધની વરવી વાસ્તવિકતા હચમચાવી મૂકે છે. નૈતિકતાના ભોગે આ સુંવાળી નોકરી ન કરવા માગતી નાયિકા બધું જ છોડીને મનોચિકિત્સકની ડૉક્ટરની ડિગ્રી મેળવીને પોતાની આસપાસના બાથમાં સમાય તેવા નાના સમૂહનાં આંસુ લૂછવાની કોશિશ કરવા મથે છે. આ વાર્તામાં માનવકલ્યાણ જ સર્વોપરિ છે તેવી ભાવનાને લેખિકા સ-રસ રીતે ઉપસાવી શક્યાં છે.