33,235
edits
(+1) |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|૩. ‘રસ’ સંજ્ઞાની પ્રાચીનતા અને તેનો અર્થવિકાસ}} | {{Heading|૩. ‘રસ’ સંજ્ઞાની પ્રાચીનતા અને તેનો અર્થવિકાસ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રસ તત્ત્વને કાવ્ય કે નાટક સાથે જોડીને વિચારવાનો પ્રયત્ન ભરતની પૂર્વે થયો હોય એમ માનવાને કેટલાક નિર્દેશો મળે છે. | રસ તત્ત્વને કાવ્ય કે નાટક સાથે જોડીને વિચારવાનો પ્રયત્ન ભરતની પૂર્વે થયો હોય એમ માનવાને કેટલાક નિર્દેશો મળે છે.<ref>ડૉ. સુશીલકુમાર દેના ગ્રંથ ‘Some Problems of Sanskrit Poetics’માં ગ્રંથસ્થ લેખ ‘The Theory of Rasa in Sanskrit Poetics’ની પ્રાસ્તાવિક ચર્ચા.</ref> એ વિશે વિવાદની ભૂમિકાને બાજુએ રાખીએ, અને એટલું જરૂર નોંધીએ કે ભરતે રસની જે વ્યવસ્થિત અને શાસ્ત્રીય વિચારણા રજૂ કરી છે તે, અને ખાસ તો ‘રસ’ની સંજ્ઞાને તેમણે જે રીતે નિશ્ચિત અર્થસંકેત અર્પ્યો છે તે જોતાં એને એ અર્થ ભરત પૂર્વે પ્રાપ્ત થઈ ચૂક્યો હતો, એમ માનવાને કારણ મળે છે. | ||
‘રસ’ સંજ્ઞા પ્રાચીન પરંપરામાં ઘણા જૂની દેખાય છે. આ વિષયના જાણીતા સંશોધકો ડૉ. | ‘રસ’ સંજ્ઞા પ્રાચીન પરંપરામાં ઘણા જૂની દેખાય છે. આ વિષયના જાણીતા સંશોધકો ડૉ. શંકર<ref>ડૉ. શંકરન્ના મહાનિબંધ ‘Some Aspects of Literary Criticism in Sanskrit or the Theories of Rasa and Dhvani’ની ચર્ચામાં પ્રસ્તુત ખંડ.</ref> અને ડૉ. નાન્દીએ<ref>ડૉ. તપસ્વી નાન્દીના મહાનિબંધ ‘The Origin and Development of the Theory of Rasa and Dhvani in Sanskrit Poetics’ની ચર્ચા અહીં સવિશેષ ઉપયોગમાં લીધી છે.</ref> બતાવ્યું છે તેમ ‘રસ’ની સંજ્ઞા વેદ, ઉપનિષદ આદિમાં અસંખ્ય સ્થાને પ્રયોજાયેલી જેવા મળે છે. નાટ્યરસ કે કાવ્યરસ તરીકે તેને પાછળથી જે નિશ્ચિત શાસ્ત્રીય અર્થ મળ્યો તે પહેલાં તેને અનેક મુખ્ય–ગૌણ અર્થો મળી ચૂક્યા હતા. આરંભકાળમાં આ સંજ્ઞાથી સ્થૂળ પદાર્થોના ખ્યાલો જ સૂચવાતા હતા પણ પછી તેને સૂક્ષ્મતા પ્રાપ્ત થતી ગઈ. એના અર્થવિકાસનો આખોયે ઇતિહાસ એ રીતે રસપ્રદ વસ્તુ છે. | ||
ડૉ. | ડૉ. નાન્દી<ref>ડૉ. તપસ્વી નાન્દીના ઉપરોક્ત ગ્રંથની પ્રસ્તુત વિષયની ચર્ચાને આધારે.</ref> નોંધે છે કે ‘રસ’ શબ્દ મૂળ ‘રસ્’ ધાતુમાંથી બન્યો છે. પાણિનિ (આશરે ઈ.સ. પૂર્વે ૩૦૦) ના ધાતુપાઠમાં એ નોંધાયેલો મળે છે. ત્યાં એના–(૧) ધ્વનિ ઉત્પન્ન કરવો, (૨) સ્વાદ લેવો અને (૩) સ્નિગ્ધ હોવું–એવા ભિન્ન ભિન્ન અર્થો આપવામાં આવ્યા છે. ‘રસ’ના અર્થનો વિકાસ કે વિસ્તાર સમજવામાં તે દ્યોતક નીવડે એમ છે. | ||
તેઓએ એમ પણ નોંધ્યું છે કે આ શબ્દ ઋગ્વેદમાં ૫૧ વાર યોજાયો છે, જ્યારે ‘રસા’ શબ્દ ૧૧ વાર યોજાયો છે. એ રીતે યજુર્વેદમાં ‘રસ’ શબ્દ ૧૯ વાર અને ‘રસા’ ૨ વાર મળે છે. જ્યારે અથર્વવેદમાં ‘રસ’ શબ્દ ૩૮ વાર આવે છે. આ બધા સંદર્ભોમાં તેને જુદા જુદા સંકેતો મળ્યા છે. એમાંના કેટલાક વધુ ને વધુ પ્રાધાન્ય પામતા ગયા છે, તો બીજા ગૌણ રહી જવા પામ્યા છે. | તેઓએ એમ પણ નોંધ્યું છે કે આ શબ્દ ઋગ્વેદમાં ૫૧ વાર યોજાયો છે, જ્યારે ‘રસા’ શબ્દ ૧૧ વાર યોજાયો છે. એ રીતે યજુર્વેદમાં ‘રસ’ શબ્દ ૧૯ વાર અને ‘રસા’ ૨ વાર મળે છે. જ્યારે અથર્વવેદમાં ‘રસ’ શબ્દ ૩૮ વાર આવે છે. આ બધા સંદર્ભોમાં તેને જુદા જુદા સંકેતો મળ્યા છે. એમાંના કેટલાક વધુ ને વધુ પ્રાધાન્ય પામતા ગયા છે, તો બીજા ગૌણ રહી જવા પામ્યા છે. | ||
ઋગ્વેદના ‘વાલ્ખિલ્ય સૂક્ત’ (૮.૪૯.૨)માં ‘રસા’ સંજ્ઞા કાં તો કોઈ વિશેષ નદીનો સંકેત રજૂ કરે છે, કાં તો નદી માટેનો સર્વસામાન્ય ખ્યાલ રજૂ કરે છે. આ સંદર્ભમાં ‘રસઃ’ શબ્દથી ‘જલાનિ’નો અર્થ સૂચવાય છે. આ ‘જલાનિ’ તે પર્વતોના ‘રસો’ જ છે. પર્વતોના નિચોડરૂપ એવા આ ‘રસો’ પ્રવાહી સ્વરૂપના છે. | ઋગ્વેદના ‘વાલ્ખિલ્ય સૂક્ત’ (૮.૪૯.૨)માં ‘રસા’ સંજ્ઞા કાં તો કોઈ વિશેષ નદીનો સંકેત રજૂ કરે છે, કાં તો નદી માટેનો સર્વસામાન્ય ખ્યાલ રજૂ કરે છે. આ સંદર્ભમાં ‘રસઃ’ શબ્દથી ‘જલાનિ’નો અર્થ સૂચવાય છે. આ ‘જલાનિ’ તે પર્વતોના ‘રસો’ જ છે. પર્વતોના નિચોડરૂપ એવા આ ‘રસો’ પ્રવાહી સ્વરૂપના છે. | ||
| Line 31: | Line 31: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
'''ટીકા-ટિપ્પણીઓ''' | |||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||