સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 6: Line 6:
સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં કાવ્યનાં વિધાયક જુદાં જુદાં તત્ત્વોને જુદે જુદે સમયે પ્રાધાન્ય અપાયું છે. રચનાની વિશિષ્ટતા દર્શાવતી રીતિ, વાણીના અને અર્થસમર્પણના ગુણો, ઉક્તિનું ચમત્કારિક વૈચિત્ર્ય, શબ્દની અને અર્થની શોભાને વધારનારા અલંકારોએ દરેક તત્ત્વની અન્યથી ચડતી હિમાયત થઈ છે. એક અથવા બીજે પ્રકારે આ બધાં તત્ત્વો કાવ્યની ચમત્કારિતાનાં કારણો છે એ સ્વીકારવા સાથે એમનું કયું તત્ત્વ પ્રધાન છે, કયું તત્ત્વ કાવ્યનો આત્મા ગણી શકાય, એ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. કાવ્ય સર્જનનો અને કાવ્યાનુભૂતિનો આનંદ એ કાવ્યના શબ્દાર્થનાં આવાં સુશોભન તત્ત્વોથી પર છે, એ આનંદમાં થતો માનસ વ્યાપાર વિશિષ્ટ પ્રકારનો છે એટલે કાવ્યાનંદની તત્ત્વમીમાંસામાં માનવ ભાવોને પ્રધાન સ્થાન આપનારો રસવાદ સર્વોપરિ પદ પ્રાપ્ત કરે એ સ્વાભાવિક હતું. પણ રસાનુભવની પૂર્ણ સામગ્રી વિનાનાં કાવ્યો પણ કાવ્યાનન્દ અર્પે છે એ સહૃદયોનો અનુભવ હતો. તેથી કાવ્યના આત્મભૂત તત્ત્વની અન્વેષણા હજી ચાલુ રહી. જેને પરિણામે ધ્વનિકારે સમજાવેલા ધ્વનિવાદનો સ્વીકાર થયો રસને પણ ધ્વનિના સિદ્ધાંતમાં મહત્ત્વનું સ્થાન મળ્યું.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં કાવ્યનાં વિધાયક જુદાં જુદાં તત્ત્વોને જુદે જુદે સમયે પ્રાધાન્ય અપાયું છે. રચનાની વિશિષ્ટતા દર્શાવતી રીતિ, વાણીના અને અર્થસમર્પણના ગુણો, ઉક્તિનું ચમત્કારિક વૈચિત્ર્ય, શબ્દની અને અર્થની શોભાને વધારનારા અલંકારોએ દરેક તત્ત્વની અન્યથી ચડતી હિમાયત થઈ છે. એક અથવા બીજે પ્રકારે આ બધાં તત્ત્વો કાવ્યની ચમત્કારિતાનાં કારણો છે એ સ્વીકારવા સાથે એમનું કયું તત્ત્વ પ્રધાન છે, કયું તત્ત્વ કાવ્યનો આત્મા ગણી શકાય, એ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. કાવ્ય સર્જનનો અને કાવ્યાનુભૂતિનો આનંદ એ કાવ્યના શબ્દાર્થનાં આવાં સુશોભન તત્ત્વોથી પર છે, એ આનંદમાં થતો માનસ વ્યાપાર વિશિષ્ટ પ્રકારનો છે એટલે કાવ્યાનંદની તત્ત્વમીમાંસામાં માનવ ભાવોને પ્રધાન સ્થાન આપનારો રસવાદ સર્વોપરિ પદ પ્રાપ્ત કરે એ સ્વાભાવિક હતું. પણ રસાનુભવની પૂર્ણ સામગ્રી વિનાનાં કાવ્યો પણ કાવ્યાનન્દ અર્પે છે એ સહૃદયોનો અનુભવ હતો. તેથી કાવ્યના આત્મભૂત તત્ત્વની અન્વેષણા હજી ચાલુ રહી. જેને પરિણામે ધ્વનિકારે સમજાવેલા ધ્વનિવાદનો સ્વીકાર થયો રસને પણ ધ્વનિના સિદ્ધાંતમાં મહત્ત્વનું સ્થાન મળ્યું.
રસની નિષ્પત્તિ કેવી રીતે થાય છે તેનું ગ્રન્થસ્થ વિધાન પ્રથમ ભરત નાટ્યશાસ્ત્રમાં થયું હતું. એણે રસ નિષ્પત્તિની જે પ્રક્રિયા આપી તેમાં એની પછીના શાસ્ત્રકારોએ ફેરફાર નથી કર્યો. પણ જે રીતે તત્ત્વજ્ઞાનીઓ પ્રસ્થાનરૂપે માનેલાં ઉપનિષદ્‌ બ્રહ્મસૂત્ર અને ગીતામાંથી પોતપોતાનાં દર્શનને અનુરૂપ અર્થ ઘટાવે છે તે જ પ્રકારે કાવ્ય શાસ્ત્રકારોએ ભરતના કથનને પ્રસ્થાનરૂપે સ્વીકારીને પોતપોતાના મન્તવ્યઅનુસાર ઘટાવ્યું છે.
રસની નિષ્પત્તિ કેવી રીતે થાય છે તેનું ગ્રન્થસ્થ વિધાન પ્રથમ ભરત નાટ્યશાસ્ત્રમાં થયું હતું. એણે રસ નિષ્પત્તિની જે પ્રક્રિયા આપી તેમાં એની પછીના શાસ્ત્રકારોએ ફેરફાર નથી કર્યો. પણ જે રીતે તત્ત્વજ્ઞાનીઓ પ્રસ્થાનરૂપે માનેલાં ઉપનિષદ્‌ બ્રહ્મસૂત્ર અને ગીતામાંથી પોતપોતાનાં દર્શનને અનુરૂપ અર્થ ઘટાવે છે તે જ પ્રકારે કાવ્ય શાસ્ત્રકારોએ ભરતના કથનને પ્રસ્થાનરૂપે સ્વીકારીને પોતપોતાના મન્તવ્યઅનુસાર ઘટાવ્યું છે.
ભરતમુનિનું એ સૂત્ર છે : विभावानुभावव्यभिचारिसंयोगाद् रसनिष्पत्तिः એમણે કહ્યું છે કે અનેક પ્રકારના મસાલાના સંયોગથી ભોજનમાં રસ નીપજે છે તેવી રીતે ઉપર કહેલાં તત્ત્વોના સંયોગથી કાવ્યમાં રસનિષ્પત્તિ થાય છે. આસ્વાદ્યતા એ રસનું સ્વરૂપ છે. અનેક ભાવ-અભિનય દ્વારા વ્યંજિત થતા સ્થાયીભાવનો જે આસ્વાદ અનુભવાય તે નાટ્યરસ. આ નાટ્યરસ શબ્દ સૂચવે છે કે રસ એ પ્રારંભમાં નાટકને અંગે ચર્ચાયો હતો. કાવ્યમાં પણ રસનિષ્પત્તિનું સ્થાન સ્વીકારાયું છે.
ભરતમુનિનું એ સૂત્ર છે : विभावानुभावव्यभिचारिसंयोगाद् रसनिष्पत्तिः એમણે કહ્યું છે કે અનેક પ્રકારના મસાલાના સંયોગથી ભોજનમાં રસ નીપજે છે તેવી રીતે ઉપર કહેલાં તત્ત્વોના સંયોગથી કાવ્યમાં રસનિષ્પત્તિ થાય છે. આસ્વાદ્યતા એ રસનું સ્વરૂપ છે. અનેક ભાવ-અભિનય દ્વારા વ્યંજિત થતા સ્થાયીભાવનો જે આસ્વાદ અનુભવાય તે નાટ્યરસ. આ નાટ્યરસ શબ્દ સૂચવે છે કે રસ એ પ્રારંભમાં નાટકને અંગે ચર્ચાયો હતો. કાવ્યમાં પણ રસનિષ્પત્તિનું સ્થાન સ્વીકારાયું છે.
ભરતના સૂત્રમાં આવેલા પારિભાષિક શબ્દોને સરળરૂપે સમજીએ. મનુષ્યને અનેક પ્રસંગે અનેક પ્રકારની લાગણી થાય છે જેમાં સ્નેહ, ક્રોધ, હર્ષ, શોક, જુગુપ્સા વગેરે મુખ્ય છે. આ ઉપરાંત લજ્જા, તન્દ્રા વગેરે અનેક લાગણીઓ લોકપ્રસિદ્ધ છે. આ લાગણી તે ભાવ. આ ભાવમાંના આઠ રતિ, શોક, ક્રોધ, ઉત્સાહ, વિસ્મય, હાસ, ભય અને જુગુપ્સા – એ આઠ વ્યાપક અને મુખ્ય ભાવો છે. તે સ્થાયીભાવ કહેવાય છે. પ્રત્યેક સ્થાયીભાવને અક્કેકા રસ જોડે સંબંધ છે. ઉપર જણાવેલા આઠ ભાવો અનુક્રમે શૃંગાર, કરુણ, રૌદ્વ, વીર, અદ્‌ભુત, હાસ્ય, ભયાનક અને બીભત્સ રસના સ્થાયીભાવો છે : રસની અને સ્થાયીભાવની આ સંખ્યા ભરતે ગણાતી તેટલી જ સ્વીકારાતી આવી છે. ભક્તિ, વાત્સલ્ય આદિનો દાવો મંજૂર રખાયો નથી. માત્ર નિર્વેદ જેનો સ્થાયીભાવ છે એ શાંત રસનો નવમા રસ તરીકે સ્વીકાર પાછળથી થયો છે. કેટલાક માને છે કે શાંત રસ શ્રાવ્ય કાવ્યમાં ભલે હોય, પણ દૃશ્ય નાટકમાં એને અવકાશ નથી.
ભરતના સૂત્રમાં આવેલા પારિભાષિક શબ્દોને સરળરૂપે સમજીએ. મનુષ્યને અનેક પ્રસંગે અનેક પ્રકારની લાગણી થાય છે જેમાં સ્નેહ, ક્રોધ, હર્ષ, શોક, જુગુપ્સા વગેરે મુખ્ય છે. આ ઉપરાંત લજ્જા, તન્દ્રા વગેરે અનેક લાગણીઓ લોકપ્રસિદ્ધ છે. આ લાગણી તે ભાવ. આ ભાવમાંના આઠ રતિ, શોક, ક્રોધ, ઉત્સાહ, વિસ્મય, હાસ, ભય અને જુગુપ્સા – એ આઠ વ્યાપક અને મુખ્ય ભાવો છે. તે સ્થાયીભાવ કહેવાય છે. પ્રત્યેક સ્થાયીભાવને અક્કેકા રસ જોડે સંબંધ છે. ઉપર જણાવેલા આઠ ભાવો અનુક્રમે શૃંગાર, કરુણ, રૌદ્વ, વીર, અદ્‌ભુત, હાસ્ય, ભયાનક અને બીભત્સ રસના સ્થાયીભાવો છે : રસની અને સ્થાયીભાવની આ સંખ્યા ભરતે ગણાતી તેટલી જ સ્વીકારાતી આવી છે. ભક્તિ, વાત્સલ્ય આદિનો દાવો મંજૂર રખાયો નથી. માત્ર નિર્વેદ જેનો સ્થાયીભાવ છે એ શાંત રસનો નવમા રસ તરીકે સ્વીકાર પાછળથી થયો છે. કેટલાક માને છે કે શાંત રસ શ્રાવ્ય કાવ્યમાં ભલે હોય, પણ દૃશ્ય નાટકમાં એને અવકાશ નથી.
આ સ્થાયીભાવ એ માનવજીવનમાં પ્રધાનસ્થાન ભોગવતી લાગણી છે. અને લાગણી હોય ત્યાં એનો વિષય, એનો પ્રેરક કોઈ હોય, તેમ જ એનું ઉદ્દીપન કરનાર પરિસ્થિતિ પણ હોય. દુષ્યન્તનામાં સ્નેહની લાગણી (રતિ) હતી તેનો વિષય, તેનું આલમ્બન શકુન્તલા અને એની ઉદ્દીપક પરિસ્થિતિ તે ચન્દ્રિકા, વસંતઋતુ, ઉપવન વગેરે પરિસ્થિતિ. આ બંનેને – ભાવનાપાત્રને તેમ જ ભાવની ઉદ્દીપક પરિસ્થિતિને – વિભાવ કહે છે; પ્રથમ (લાગણીનું પાત્ર) તે આલંબન વિભાવ; પરિસ્થિતિ તે ઉદ્દીપન વિભાવ. વાણી, અંગ અને સત્ત્વ એ ત્રણ પ્રકારની ચેષ્ટાઓ વડે, એટલે કે વાચિક, કાયિક અને સાત્ત્વિક અભિનય વડે હૃદયગત ભાવનો અનુભવ કરાવાય છે. ભાવાનો અનુભવ કરાવનાર અભિનય તે અનુભાવ. અનુભાવ ભાવને પ્રકટ કરનાર છે, તેમ ભાવનો પ્રેરક પણ છે.
આ સ્થાયીભાવ એ માનવજીવનમાં પ્રધાનસ્થાન ભોગવતી લાગણી છે. અને લાગણી હોય ત્યાં એનો વિષય, એનો પ્રેરક કોઈ હોય, તેમ જ એનું ઉદ્દીપન કરનાર પરિસ્થિતિ પણ હોય. દુષ્યન્તનામાં સ્નેહની લાગણી (રતિ) હતી તેનો વિષય, તેનું આલમ્બન શકુન્તલા અને એની ઉદ્દીપક પરિસ્થિતિ તે ચન્દ્રિકા, વસંતઋતુ, ઉપવન વગેરે પરિસ્થિતિ. આ બંનેને – ભાવનાપાત્રને તેમ જ ભાવની ઉદ્દીપક પરિસ્થિતિને – વિભાવ કહે છે; પ્રથમ (લાગણીનું પાત્ર) તે આલંબન વિભાવ; પરિસ્થિતિ તે ઉદ્દીપન વિભાવ. વાણી, અંગ અને સત્ત્વ એ ત્રણ પ્રકારની ચેષ્ટાઓ વડે, એટલે કે વાચિક, કાયિક અને સાત્ત્વિક અભિનય વડે હૃદયગત ભાવનો અનુભવ કરાવાય છે. ભાવાનો અનુભવ કરાવનાર અભિનય તે અનુભાવ. અનુભાવ ભાવને પ્રકટ કરનાર છે, તેમ ભાવનો પ્રેરક પણ છે.