સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામપ્રસાદ બક્ષી/કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૬. કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ}}
{{Heading|૬. કાવ્ય-નાટકમાં રસનિષ્પત્તિ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં કાવ્યનાં વિધાયક જુદાં જુદાં તત્ત્વોને જુદે જુદે સમયે પ્રાધાન્ય અપાયું છે. રચનાની વિશિષ્ટતા દર્શાવતી રીતિ, વાણીના અને અર્થસમર્પણના ગુણો, ઉક્તિનું ચમત્કારિક વૈચિત્ર્ય, શબ્દની અને અર્થની શોભાને વધારનારા અલંકારોએ દરેક તત્ત્વની અન્યથી ચડતી હિમાયત થઈ છે. એક અથવા બીજે પ્રકારે આ બધાં તત્ત્વો કાવ્યની ચમત્કારિતાનાં કારણો છે એ સ્વીકારવા સાથે એમનું કયું તત્ત્વ પ્રધાન છે, કયું તત્ત્વ કાવ્યનો આત્મા ગણી શકાય, એ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. કાવ્ય સર્જનનો અને કાવ્યાનુભૂતિનો આનંદ એ કાવ્યના શબ્દાર્થનાં આવાં સુશોભન તત્ત્વોથી પર છે, એ આનંદમાં થતો માનસ વ્યાપાર વિશિષ્ટ પ્રકારનો છે એટલે કાવ્યાનંદની તત્ત્વમીમાંસામાં માનવ ભાવોને પ્રધાન સ્થાન આપનારો રસવાદ સર્વોપરિ પદ પ્રાપ્ત કરે એ સ્વાભાવિક હતું. પણ રસાનુભવની પૂર્ણ સામગ્રી વિનાનાં કાવ્યો પણ કાવ્યાનન્દ અર્પે છે એ સહૃદયોનો અનુભવ હતો. તેથી કાવ્યના આત્મભૂત તત્ત્વની અન્વેષણા હજી ચાલુ રહી. જેને પરિણામે ધ્વનિકારે સમજાવેલા ધ્વનિવાદનો સ્વીકાર થયો રસને પણ ધ્વનિના સિદ્ધાંતમાં મહત્ત્વનું સ્થાન મળ્યું.
સંસ્કૃત કાવ્યશાસ્ત્રોમાં કાવ્યનાં વિધાયક જુદાં જુદાં તત્ત્વોને જુદે જુદે સમયે પ્રાધાન્ય અપાયું છે. રચનાની વિશિષ્ટતા દર્શાવતી રીતિ, વાણીના અને અર્થસમર્પણના ગુણો, ઉક્તિનું ચમત્કારિક વૈચિત્ર્ય, શબ્દની અને અર્થની શોભાને વધારનારા અલંકારોએ દરેક તત્ત્વની અન્યથી ચડતી હિમાયત થઈ છે. એક અથવા બીજે પ્રકારે આ બધાં તત્ત્વો કાવ્યની ચમત્કારિતાનાં કારણો છે એ સ્વીકારવા સાથે એમનું કયું તત્ત્વ પ્રધાન છે, કયું તત્ત્વ કાવ્યનો આત્મા ગણી શકાય, એ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. કાવ્ય સર્જનનો અને કાવ્યાનુભૂતિનો આનંદ એ કાવ્યના શબ્દાર્થનાં આવાં સુશોભન તત્ત્વોથી પર છે, એ આનંદમાં થતો માનસ વ્યાપાર વિશિષ્ટ પ્રકારનો છે એટલે કાવ્યાનંદની તત્ત્વમીમાંસામાં માનવ ભાવોને પ્રધાન સ્થાન આપનારો રસવાદ સર્વોપરિ પદ પ્રાપ્ત કરે એ સ્વાભાવિક હતું. પણ રસાનુભવની પૂર્ણ સામગ્રી વિનાનાં કાવ્યો પણ કાવ્યાનન્દ અર્પે છે એ સહૃદયોનો અનુભવ હતો. તેથી કાવ્યના આત્મભૂત તત્ત્વની અન્વેષણા હજી ચાલુ રહી. જેને પરિણામે ધ્વનિકારે સમજાવેલા ધ્વનિવાદનો સ્વીકાર થયો રસને પણ ધ્વનિના સિદ્ધાંતમાં મહત્ત્વનું સ્થાન મળ્યું.

Navigation menu