શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 25: Line 25:


{{Right|(‘સર્જકની આંતરકથા’, પુનર્મુદ્રણ, ૨૦૧૧, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦)}}
{{Right|(‘સર્જકની આંતરકથા’, પુનર્મુદ્રણ, ૨૦૧૧, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦)}}


અસત એમને હરગિજ પોસાતું નથી આથી જ એમને મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ, એમની એક ગીત-પંક્તિ છે —
અસત એમને હરગિજ પોસાતું નથી આથી જ એમને મૂળની સાથે મેળ છે ને સત સાથે સુમેળ, એમની એક ગીત-પંક્તિ છે —
Line 58: Line 59:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૫-૧૬)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૫-૧૬)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
જાતને શોધવાની અને પામવાની આ સર્જનાત્મક પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો ‘નંદ સામવેદી’માંય ચાલે છે. ‘આ-નંદપર્વ’ શીર્ષકથી લાભશંકર ઠાકરે ચંદ્રકાન્ત શેઠના પ્રતિનિધિ નિબંધોનું સંપાદન કર્યું છે. એની પ્રસ્તાવનામાં લાભશંકરે યથાર્થ નોંધ્યું છે —
જાતને શોધવાની અને પામવાની આ સર્જનાત્મક પ્રક્રિયા એમના અપૂર્વ અને અનન્ય અંગત નિબંધો ‘નંદ સામવેદી’માંય ચાલે છે. ‘આ-નંદપર્વ’ શીર્ષકથી લાભશંકર ઠાકરે ચંદ્રકાન્ત શેઠના પ્રતિનિધિ નિબંધોનું સંપાદન કર્યું છે. એની પ્રસ્તાવનામાં લાભશંકરે યથાર્થ નોંધ્યું છે —
Line 70: Line 73:


{{Right|(‘શબ્દયાત્રા: ચંદ્રકાન્ત શેઠ’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૧૦૨)}}
{{Right|(‘શબ્દયાત્રા: ચંદ્રકાન્ત શેઠ’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૧૦૨)}}


આમ કવિ ચંદ્રકાન્ત શેઠ અને ‘નંદ સામવેદી’ એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે, એમાં સતનો રણકાર છે. ‘નંદ સામવેદી’, ‘આર્યપુત્ર’, ‘બાલચંદ્ર’, ‘દક્ષ પ્રજાપતિ’ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! પોતાનાં જ અનેક બાહ્ય રૂપોને તપાસવાં સ્તો ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!
આમ કવિ ચંદ્રકાન્ત શેઠ અને ‘નંદ સામવેદી’ એક જ અસલ સિક્કાની બે બાજુઓ છે, એમાં સતનો રણકાર છે. ‘નંદ સામવેદી’, ‘આર્યપુત્ર’, ‘બાલચંદ્ર’, ‘દક્ષ પ્રજાપતિ’ વગેરે ઉપનામોથી એમણે લખ્યું છે. શા માટે આ ઉપનામો?! પોતાનાં જ અનેક બાહ્ય રૂપોને તપાસવાં સ્તો ને એમાંથી સાચા ચંદ્રકાન્તને શોધવા સ્તો!
Line 83: Line 87:


{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૫૮)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૫૮)}}


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 107: Line 112:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે.
ભાવકચિત્તમાંય ‘ક્યાં છે?’ ‘ક્યાં છે?’ના પડઘા પડતા રહે છે.
Line 140: Line 147:
{{right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૩૦-૩૧)}}
{{right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૩૦-૩૧)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવતા રહે છે. ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —
જાતની વિડંબના કરતા જઈને કવિ શબ્દનું, કવિતાનું સત્ય પેટાવતા રહે છે. ‘એક ચંદુડિયાની નમૂનેદાર બનાવટ’માં કવિ કહે છે —
Line 159: Line 168:
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૪૨-૪૩)}}
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે, પણ ચંદુ, ‘મારો ચંદુ’ તુરત ફરાર થઈ જાય છે! —
એક ગીતમાં આ કવિ નિર્મમ બનીને ચંદુડિયા પર સોંસરો વાર કરે છે, પણ ચંદુ, ‘મારો ચંદુ’ તુરત ફરાર થઈ જાય છે! —
Line 180: Line 191:
{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}}
{{Right|(‘ચિદાકાશનાં ચાંદરણાં’, પૃ. ૫૮)}}
</poem>
</poem>
{{Poem2Open}}
શબ્દમાં અને શબદમાં આ કવિને અપાર શ્રદ્ધા છે. શબ્દને તેઓ કઈ રીતે નીરખે છે? — ગુજરાતી સાહિત્ય પરિષદના તેત્રીસમા અધિવેશનમાં સર્જનવિભાગના અધ્યક્ષપદેથી રજૂ કરેલ વ્યાખ્યાન — ‘મારા મનની વાત’માં તેમણે કહેલું —
‘આપણે બરોબર સમજી લેવું રહ્યું કે પગ નીચે જેમ ધરતી છે તેમ આપણા શબ્દ નીચેય ધરતી છે — શ્રદ્ધાની — સત્-શ્રદ્ધાની. એના વિના સ્થિરતા નથી, દૃઢતા નથી, ઉઘાડ ને વિકાસ નથી કે ઉડાણ નથી.’
{{Right|(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૬૯)}}
‘હું જોઉં છું — શબ્દ એક શર છે. હું એના માટેની પ્રત્યંચા. એ શરનું લક્ષ્ય મારી બહાર નથી, એ શરનો છોડણહાર પણ મારી બહાર નથી. બાંધવાનું અને છોડવાનું. બેય રીતે સ્વાદ તો સર્જનનો જ માણવાનો.’
{{Right|(‘શબ્દયાત્રા’, સં. શ્રદ્ધા ત્રિવેદી, પૃ. ૭૩)}}
આમ તો હું વિજ્ઞાનનો વિદ્યાર્થી, પણ ચંદ્રકાન્ત શેઠ મારા ગુરુ. ૧૯૮૩માં અમદાવાદમાં બદલી થઈ. મારી ઑફિસેથી વિદ્યાપીઠ નજીક. રોજ રિસેસમાં વિદ્યાપીઠ. મુદ્રિકાબહેને થરમૉસમાં ભરી આપેલી ફુદીનાની સોડમવાળી ચા અને કવિતા. અવારનવાર, વારંવાર ‘શેઠકાકા’ના ઘરે પણ નાસ્તો, ચા અને સાહિત્યની વાતો. હાંડવો, ઢોકળાં, મૂઠિયાં તો મુદ્રિકાબહેનનાં. આમ એમની પાસેથી મને જાણે કાવ્યદીક્ષા મળી. સાહિત્યના પાઠ શીખવા મળ્યા. લગભગ મારું બધું જ લખાણ એમની સૂક્ષ્મ નજર તળેથી પસાર થાય. ૧૯૮૦માં, હું સુરેન્દ્રનગરમાં હતો ત્યારે, ભવિષ્યમાં હું નવલકથા લખીશ એવું મેં સ્વપ્નમાંય કદી વિચાર્યું નહોતું ત્યારે, મારી વાર્તા ‘ગંગાબા’ વાંચીને ચંદ્રકાન્ત શેઠે એક પોસ્ટકાર્ડ લખેલું. એમાં લખ્યું હતું — ‘તમે મોટા નવલકથાકાર થશો.’ પછી તો એમની સાથે કવિતાનાં સંપાદનોનું કામ કરવાની તક મળી ને કાવ્યપદાર્થની મારી સમજણ વિકસતી ગઈ. કેરળ તથા રામેશ્વર-મદુરાઈના પ્રવાસમાં પણ સાથે જવાનું થયું. ચેન્નાઈમાં અતિવરસાદના કારણે પ્રવાસ ટૂંકાવીને કન્યાકુમારીથી પાછું ફરવું પડેલું. રામેશ્વર-મદુરાઈ બાકી રહ્યાંનું સહુને દુઃખ હતું. પણ સૌ. મુદ્રિકાબેન? પ્રવાસ દરમિયાન તેઓ જેવાં પ્રસન્ન હતાં તેવાં જ પ્રસન્ન…! યાત્રા અધૂરી રહ્યાનો રંજ પણ નહિ! ‘જેવી ઠાકોરજીની ઇચ્છા’ કહી પરિસ્થિતિનો સહજ સ્વીકાર. સાચાં વૈષ્ણવ. ઠાકોરજીને સમર્પિત. સચ્ચાઈ તથા ઇન્ટિગ્રિટીનો વારસો એમનાં સંતાનો — વંદના તથા અભિજાતમાં પણ ઝિલાયો છે, જળવાયો છે. દીકરી રુચિરાનું અકાળ અવસાન થયું ત્યારે એના ઊંડા આઘાતમાંથી મુદ્રિકાબહેન ઠાકોરજી પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણ થકી બહાર આવેલાં, ‘શેઠકાકા’ પણ આ આઘાતમાંથી કવિતા પ્રત્યેની, શબ્દ અને શબદ પ્રત્યેની શ્રદ્ધા થકી બહાર આવેલા. કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે વાત કરતાં એમણે કહ્યું છે —
‘હું મારી કાવ્યસર્જનની પ્રક્રિયાને આંતરસાધના — આત્મસાધના જ લેખું છું. સાપની સામે લડતો નોળિયો જેમ ઝેર ઉતારવા નોળવેલ પાસે જાય, એમ હુંયે જીવનમાં નાનામોટા સંઘર્ષોનો મુકાબલો કરતાં કરતાં અવારનવાર મને ઠીક કરવા માટે મારી અંદર વળું છું. કવિતાના ચરણે માથું મૂકું છું.’
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૯૮)}}
આ જ લેખમાં તેઓ લખે છે —
‘કાવ્યદેવતાનું થાનક બને તેટલું ચોખ્ખુંચણક ને રળિયામણું રહે એવો મારો અંદરનો ઉછાળ-ભાવ હોય છે. કાવ્યસર્જન દરમિયાન મારો ‘હું’ મને ઓછામાં ઓછી ડખલ કરે, એ માપ કે મર્યાદામાં રહે એની બનતી તકેદારી રાખું છું. મારી ખટાપટી તો મારા સર્જનની વૈયક્તિક ક્ષણ વૈશ્વિકતા સાથે સૂરસંધાન (‘ટ્યૂનિંગ’) કરીને કઈ રીતે શાશ્વતીના રસની ક્ષણમાં રૂપાંતરિત થાય એ માટેની હોય છે. મારી સચ્ચાઈ કવિતાના પદે પદે વધુમાં વધુ નિર્મળ ને નમણા સ્વરૂપે પ્રગટવી જોઈએ.’
{{Right|(‘શબ્દયાત્રા’, પૃ. ૯૯)}}
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’
‘હું તો મારા હું ને કહું છું : બ્હાર નીકળ, તું બ્હાર!’
26,604

edits