26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 216: | Line 216: | ||
[હે પ્રભુ, હું કદાપિ મૂર્ખને હાથ ન પડું એટલું વરદાન દેજે.] | [હે પ્રભુ, હું કદાપિ મૂર્ખને હાથ ન પડું એટલું વરદાન દેજે.] | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>'''વૈધવ્યના ચિતાર'''</center> | |||
અરુંધતી વ્રતમાં વૈધવ્યનો ત્રાસજનક ચિતાર છે : ઋષિપંચમીના વ્રતમાં રજસ્વલા સ્ત્રીને વિશે આવું કમકમાટી ઉપજાવનારું વર્ણન છે કે ‘તે રજસ્વલા હતી છતાં તેણે ઘરમાં પાત્ર વગેરેને સ્પર્શ કર્યો હતો તે પાપથી આ પુત્રીના શરીરમાં કીડા પડી ગયા છે. હે પ્રિયે! રજસ્વલા સ્ત્રી પહેલે દિવસે ચાંડાલી, બીજે દિવસે બ્રહ્મચારી, ત્રીજે દિવસે ધોબણ અને ચોથે દિવસે શુદ્ધ થાય છે. હે પ્રિયે! આ પુત્રીને એક તો રજસ્વલાનું પાપ લાગ્યું અને એ પુત્રી શુદ્ધ થઈ ત્યારે એણે સખીઓને વ્રત કરતી જોઈ તેનો અનાદર કર્યો તેથી બીજું પાપ લાગ્યું… તેથી તેના શરીરમાં કીડા પડી ગયા છે.’ (‘વ્રતરાજ’.) | |||
<center>'''સુસંગત દંડ'''</center> | |||
આવા ચિતારોથી લોકવ્રતો મુક્ત છે. એમાં તો કોઈ દોષ કર્યો હોય તો તેનો દંડ પણ સુસંગત અને સુપ્રમાણ, ઉપર જાતાં પાછો સોહામણો, વાર્તાદૃષ્ટિએ પણ આવો રસવંતો હોય છે : | |||
<poem> | |||
શિવ ને પાર્વતી ચાલ્યાં જાય છે : માર્ગે એક ખેતર આવે છે. ખેતરમાં તો બાજરાનાં ડૂંડાં લચી રહ્યાં છે. પાર્વતીજીએ તો એક ડૂંડું તોડ્યું છે ત્યારે શિવે એમને કહ્યું છે કે હે સતી! ખેતરના ધણીની રજા વગર તમે ડૂંડું તોડ્યું, એટલે એક કણના સહસ્ર કણ તમારે પૂરી આપવા પડશે : કે’, હે મા’રાજ તે શી રીતે કરું? કે’, જાવ તમે એ ખેતરના ધણીના વાંઝિયા કણબીને ઘરે દીકરી થઈને જલમો! | |||
</poem> | |||
આ લોકવ્રતનું વાતાવરણ : લોકજીવનની રક્ષાનું જ લક્ષ્ય : એ લક્ષ્યથી રહિત કોઈને સજા નહિ. |
edits