અવતરણ: Difference between revisions

22,413 bytes added ,  09:45, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 369: Line 369:
{{સ-મ||દલપતરામ}}
{{સ-મ||દલપતરામ}}
{{સ-મ||'''[ દુર્ગારામ મહેતાજી, ‘બુદ્ધિપ્રકાશ’(નવે.76થી ઓક્ટો.77) ]'''}}
{{સ-મ||'''[ દુર્ગારામ મહેતાજી, ‘બુદ્ધિપ્રકાશ’(નવે.76થી ઓક્ટો.77) ]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૪.<br>જીવનચરિત્ર : શા માટે'''</big>|
{{Poem2Open}}
આપણા દેશમાં જન્મચરિત્રો લખવાની રીત ન હોવાથી આપણને ઘણું નુકસાન થાય છે. લોકોને સારા નમૂના માલમ પડતા નથી. અને તેથી પોતાની ક્ષુદ્ર બુદ્ધિને અનુસરી ક્ષુદ્રગતિ જ કર્યાં જાય છે. જ્યારે મહત્કર્મનાં દૃષ્ટાંત આપવાં હોય છે ત્યારે ઘણીવાર આપણને પેલે છેડેના ઠેઠ યુરોપખંડમાં તે ખોળવા જવું પડે છે, કેમ કે આપણા દેશનાં જોઈએ તેવાં ઇતિહાસિક ઉદાહરણો મળતાં નથી. એનું મુખ્ય કારણ તો એ છે કે આપણામાં વાસ્તવિક ચરિત્રો લખવાનો ધારો નથી; અને તેથી મહાપુરુષો હોય છે ત્યાં સુધી જ તેના દાખલાનો લાભ મળે છે, અને પછીથી તે જન્મ્યા જ ન હોય તે પ્રમાણે મળતો બંધ પડે છે. અથવા કોઈ વખતે તે મહત્કર્મો આપણી પતિત પ્રજાને પોતાની શક્તિની બહાર જ એટલે દરજ્જે લાગે છે કે તેને અલૌકિક ગણે છે. અલૌકિક ગણતાં અદ્ભુત કથાઓ તેમાં ઊમેરે છે, અને એ પ્રમાણે તેને સંપૂર્ણ અદ્ભુત રૂપ આપી પૂજવા મંડે છે. પણ તેઓ નકલ કરવા જોગ પુરુષ થઈ ગયા છે એ વાત તો તેમની કલ્પનાથી પણ દૂર રહે છે. આથી લાભમાં એ જ થાય છે કે પતિતપણું વધે છે. આપણા દેશની કરુણામય સ્થિતિનું આ પણ એક કારણ છે, અને તેથી મહાપુરુષોનાં મહત્કૃત્યો મનુષ્ય ભાવે વર્ણાવાની, એટલે, સ્વાભાવિક જીવનચરિત્રો લખાવાની હાલને સમયે બહુ જ જરૂર છે.
{{સ-મ||નવલરામ પંડ્યા}}
{{સ-મ||'''[‘નવલગ્રંથાવલિ’(1891)-માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૫.<br>સંસ્કૃત અને ગુજરાતી'''</big>|
{{Poem2Open}}
સંસ્કૃતને ગુજરાતી અને ગુજરાતીઓ સાથે એકલો ફક્ત શાબ્દિક, ભાષાવિષયક, સંબંધ નથી; એથીયે વધારે અને ગાઢ, પરંપરાનો, સંસ્કૃતિનો, આનુવંશિક સંબંધ છે. અંગ્રેજીમાં લૅટિનમાંથી ઘણા તો પચાસ-સાઠ ટકા શબ્દ આવેલા હશે; ગ્રીકમાંથી એથીય ઘણા જ ઓછા. એમ છતાં લૅટિન-ગ્રીકના અભ્યાસ માટે અંગરેજ વિચારકો જે આગ્રહ રાખે છે તે આ સાંસ્કૃતિક, cultural, સંબંધને લઈને રાખે છે. અને એ અંગરેજી સંસ્કૃતિ પણ ત્રણ જુદાં જુદાં અંગોની બનેલી છે : હિબ્રુ ધર્મભાવના, ગ્રીકો-લૅટિનશાસ્ત્રીય વિચારણા અને એંગ્લો સેક્શન વંશના આનુવંશિક સંસ્કાર. એ ત્રણેના મિશ્રણથી આધુનિક અંગરેજી સંસ્કૃતિ ઉત્પન્ન થયેલી છે. પણ અહીં તો ધર્મભાવના, વિચારશૈલી, વંશ, બધાનો ઊગમ તમારા જ પૂર્વજો પ્રાચીન આર્યો અને તેઓની પ્રાચીન સંસ્કૃતિમાંથી થયેલો છે. એટલે અંગરેજીનો લૅટિન-ગ્રીક સાથેનો જે સંબંધ છે તેના કરતાં ગુજરાતીનો સંસ્કૃત સાથેનો સંબંધ ઘણો વધારે નિકટ છે.
{{સ-મ||જહાંગીર સંજાના}}
{{સ-મ||'''[‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955)]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૬.<br>બાળસાહિત્ય : કાલુંઘેલું નહીં'''</big>|
{{Poem2Open}}
બાળકો માટે લખવું એટલે સહેલું ને જોડાક્ષરો ન હોય એવું લખવું, કાંઈક બોધપ્રદ લખવું, એમ મનાય છે. એમ પણ મનાય છે કે જરા કાલુંઘેલું, જરા વાર્તારૂપે, જરા સંવાદાત્મક હોય તો બાલસાહિત્ય બને. પરંતુ બાલવાચનમાં મોટાઓનાં સાહિત્યના બધા ગુણ હોઈ શકે, હોવા જોઈએ. માત્ર કક્ષાફેર હોય, વસ્તુફેર હોય, ભાષાફેર હોય; પણ તે સાહિત્ય તો હોય જ. બાલસાહિત્યમાં ભાષાની કોમલતા હોય અને ગૌરવ પણ હોય, ભાષાનું રૂમઝૂમતું સંગીત હોય ને વિચારની સૂક્ષ્મ ઝીણવટ પણ હોય, હૃદયને ડોલાવે એવું ડોલન હોય તો સાથે સુંદર તોલન પણ હોય.
{{સ-મ||'''ગિજુભાઈ બધેકા અને તારાબેન મોડક'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૭.<br>કવિનો વિદ્રોહ'''</big>|
{{Poem2Open}}
તેથી જ, કવિ તો એપોલો અને ડાયોનિસસ બંને દેવતા સામે સતત (અને સતત અનુભવ, સંપ્રજ્ઞતા, આનંદ તરફની સાચી દિશા શોધતા) વિદ્રોહમાં જ રત, રમમાણ રહે છે. કવિ આ વિદ્રોહ કરી શકે છે કેમ કે એની પાસે આ ધ્રુવદ્વયીથી જુદી જ વ્યવસ્થા સ્થાપી શકતું શબ્દતત્ત્વ છે. કવિ-શબ્દના પ્રકાશ વિના આપણી આનંદયાત્રા પ્રર્વતી ન શકત. આવો કવિ-શબ્દ, આ જ્ઞાનમીમાંસાના અને આ અસ્તિત્વમીમાંસાના, ‘ભાવના’ના અને ‘સ્ફોટ’ના નવા જ સંદર્ભમાં જેને સિદ્ધ કરે છે તે છે રમણીયતા. Form અને Flowના દ્વૈતને જ નહીં, એમની ધ્રુવદ્વયીની વ્યવસ્થાને જ રમણીયતા ઓળંગી લે છે. અને એ રીતે કલાકૃતિને નવી રીતે પામવાની શક્યતા ભાવકને એ અર્પે છે.
{{સ-મ||'''સિતાંશુ યશશ્ચંદ્ર'''}}
{{સ-મ||'''[‘રમણીયતાનો વાગ્વિકલ્પ’(1979), પૃ. 150]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૮.<br>બાળસાહિત્ય : આજે, નવેસર'''</big>|
{{Poem2Open}}
આજના કોમ્પ્યુટર યુગમાં બાળકોના મનમાં હવે રાજા કે રાક્ષસ હીરો તરીકે રહ્યા નથી. એમ પણ કહી શકાય કે હવે સુપરમૅન જેવાં પાત્રોનો જમાનો આવ્યો છે. એટલે રાજા વગેરેની વાર્તાઓ કાલગ્રસ્ત બની રહેવાની. ‘એક હતો રાજા…’ની વાર્તાઓ બાળકના કૌતુકને અને વાર્તારસને સંતોષવાને બદલે બાળકની ગૂંચવણ વધારશે એવુંયે લાગે છે. હવે માત્ર બાળવાર્તા જ નહીં, તમામ બાળસાહિત્ય વિશે બાળમાનસના અનુભવીઓએ, જાગૃત વાલીઓએ અને સંનિષ્ઠ શિક્ષકોએ સાથે બેસીને બાળકોના મનોરંજન માટેની રીતિઓનું શોધન અને સંશોધન કરવું જરૂરી બની રહ્યું છે.
{{સ-મ||'''રમેશ પારેખ'''}}
{{સ-મ||'''[બાળવાર્તાઓની સમીક્ષા, ‘પ્રત્યક્ષ’,જુલાઈ-સપ્ટેમ્બર 1999]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૩૯.<br>સંસ્કૃતિ અને સાહિત્ય'''</big>|
{{Poem2Open}}
માણસજાતે જગતના ઉત્ક્રાન્તિના ઇતિહાસમાં સવ્યસાચીનું કામ કર્યું છે. એક હાથે એણે સંસ્કૃતિ નિપજાવી સાહિત્યધારામાં તેને ઓતપ્રોત કરીને વહેતી કરી અને બીજે હાથે એ સાહિત્યપ્રવાહથી નવતર મૂલ્યો અને નવતર સંસ્કૃતિનું સંચિન કર્યું. પ્રાચીન સાહિત્યની કથા-દંતકથા લઈને હોમર, વજિર્લ, શૅક્સપિયર, કાલિદાસ અને આધુનિક યુગના સાહિત્યકારોએ પોતાની સાહિત્યકૃતિઓ સજાવી છે. ગ્રીક અને રોમન સાહિત્યનો વિચાર કરીએ તો ગ્રીક સાહિત્યની પાંખમાં કાવ્ય, નાટક, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, ગણિત બધું જ છે. ગ્રીસને પગલે પગલે રોમનોએ પોતાનું સાહિત્ય વિકસાવ્યું અને એ બે સાહિત્યે આખા યુરોપમાં સંસ્કૃતિના દીવા પેટાવ્યા. આમ સંસ્કૃતિ અને સાહિત્ય પરસ્પર સર્જક અને વાહક રહ્યાં છે.
{{સ-મ||'''જયંત પંડ્યા'''}}
{{સ-મ||'''[‘અક્ષરાયન’(1985)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૦.<br>યુરોપીય વિદ્યા અને પરાશ્રિતતા'''</big>|
{{Poem2Open}}
આપણા દેશમાં પરદેશમાંથી મળેલા વિશ્વવિદ્યાલય સાથે દેશના મનનું સંમિલન થઈ શક્યું નથી. ઉપરાંત, યુરોપીય વિદ્યા પણ અહીં બંધિયાર પાણીના જેવી છે, આપણે તેનું ચાલતું ગતિશીલ રૂપ જોવા પામતા નથી. સનાતનત્વ-મુગ્ધ આપણું મન તો બધાની ફૂલચંદનથી પૂજા કર્યા કરે છે. યુરોપની વિદ્યાને આપણે સ્થાવર રૂપમાં પામીએ છીએ એને તેમાંથી વાક્યો ચૂંટી લઈને એનું રટણ કર્યા કરવું એને જ આધુનિક રીતની વિદ્વત્તા માનીએ છીએ. દેશના સામાન્ય લોકોના બધા મુશ્કેલ પ્રશ્નો, મહત્ત્વની જરૂરિયાતો, અને કઠોર વેદનાને આપણાં વિશ્વવિદ્યાલયો સાથે કશો સંબંધ નથી. અહીં દૂરની વિદ્યાને આપણે જડ પદાર્થની પેઠે વિશ્લેષણ દ્વારા શીખીએ છીએ, સમગ્ર ઉપલબ્ધિ દ્વારા નહીં. આપણે તોડી તોડીને વાક્યો ગોખીએ છીએ અને તે ટુકડા કરીને ગોખેલી વિદ્યાની પરીક્ષા આપીને છુટકારો અનુભવીએ છીએ. ટેક્સ્ટબુકને વળગેલાં આપણાં મન પરાશ્રિત પ્રાણીની પેઠે પોતાનો ખોરાક પોતે મેળવી લેવાની, પોતે શોધી લેવાની ઇચ્છા ખોઈ બેઠાં છે.
{{સ-મ||'''રવીન્દ્રનાથ ઠાકુર'''}}
{{સ-મ||'''[‘રવીન્દ્રનિબંધમાલા : 1’, અનુ. નગીનદાસ પારેખ, 2002માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૧.<br>માનવકંઠ અને વાદ્ય'''</big>|
{{Poem2Open}}
સંગીતનું કલ્પન પ્રથમ તો સંગીતકારના મનમાં ઊઠે. ઘણાખરા વાદકો કંઠવિહીન હોય છે, તો પણ તેઓ વગાડે છે ત્યારે એમનું મન તો ગાતું જ હોય છે. વાદ્ય તો જડ વસ્તુ છે. માનવકંઠ અને એનો શ્રુતિપૂર્ણ રવ જ સંગીતનું ચૈતસિક સ્વરૂપ પ્રગટ કરી શકે છે. વાદ્ય, અલબત્ત, કંઠને હંમેશાં સહારો આપતું રહ્યું છે, જેમકે સંગતમાં સારંગી જેવાં વાદ્યો, અને કંઠના ઘડતરમાં તંબૂર અને સ્વરમંડળ સરખી નાદપૂરિત વીણાઓ. વીણાના ઝંકારમાંથી ગાયનના મીંડ સરખા ‘પ્લાવિત ગમક’-અલંકારોના અને કેટલીક અન્ય ગમકોના નિર્માણની પ્રેરણા વાદ્ય-વાદનમાંથી મળી હોય તેમ બને; પણ સંગીતનું મુખ્ય આકલન તો કંઠ દ્વારા જ સિદ્ધ થાય છે, તે સૌનો અનુભવ છે. વાદ્યમાં કલ્પનાઓ ઉતારવી અત્યંત કષ્ટસિદ્ધ છે; જ્યારે તે જ વસ્તુઓ કંઠમાં આસાનીથી સ્ફુરાયમાન બને છે. ભારતીય સંગીતનો સારોયે ઇતિહાસ અને તેનું વિશ્લેષણ તો તે હંમેશાં કંઠ્યસંગીતના જ વિકાસ પર નિર્ભર હોવાનું કહે છે. ભારતીય ગાંધર્વ તેના અખિલસ્વરૂપના ઉત્થાન-નિર્માણ માટે કંઠ્યનું, ગેયનું, સદૈવ આભારી રહ્યું છે તે હકીકત છે.
{{સ-મ||'''મધુસૂદન ઢાંકી'''}}
{{સ-મ||'''[‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’, 1974, અંક:2]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૨.<br>કવિ અને નૈસગિર્ક પ્રતિભા'''</big>|
{{Poem2Open}}
ત્યારે એમ કહી શકાય કે કાવ્ય થવાનું નિમિત્ત અમુક પ્રકારની પ્રકૃતિમાં જ હોય છે. ગમે તેટલા અભ્યાસથી, ગમે તેટલા સાહિત્યસંગ્રહથી, કશાથી એ પ્રકૃતિ આવતી નથી. એને નૈસગિર્ક પ્રતિભા કહે છે. જે એવી પ્રતિભાવાળા હોય તે કવિ થઈ શકે. કવિ શબ્દોને વાપરે છે પણ શબ્દોની પાર દેખે છે, વ્યવહારના સંબંધોમાં ફરે છે પણ તે સંબંધોની પારના વિશ્વને સર્વદા પોતાનું ગણે છે. ગદ્યનો ઉચ્ચાર કરે છે પણ વ્યાકરણની પારના પદ્યને જ સાકાર કરતો હોય છે. જગતમાં અવલોકન કરવાની જેને ટેવ હશે તે જોઈ શકશે કે માણસોમાં પ્રકૃતિના અનેક અને અનંત પ્રકાર છે. સૃષ્ટિના એના એ જ પદાર્થોમાં પ્રકૃતિ-અનુસાર નવાં નવાં વિશ્વ જુદાં જુદાં મનુષ્યોને સમજાય છે. તેમાં જે મનુષ્યને સ્થૂલની પારનું દર્શન થતું હોય, સ્થૂલની પારની રચના કલ્પનામાં પ્રતીત થઈ જતી હોય, સ્થૂલની પારના સંબંધો ઉપજાવી નવાં વિશ્વ કરવાની શક્તિ સહજ રીતે જ આવેલી હોય, તે વર્ગમાં કવિઓની ગણના થઈ શકે છે.
{{સ-મ||'''મણિલાલ ન. દ્વિવેદી'''}}
{{સ-મ||'''[‘સુદર્શન ગદ્યાવલિ’ (1919)-માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૪૩.<br>આનંદ અને મનોરંજન'''</big>|
{{Poem2Open}}
લોકપ્રિય સાહિત્યને જેમ ઉચ્ચભ્રૂ ને મધ્યભ્રૂ વર્ગ સ્વીકારવાની આનાકાની કરી, તેને હલકી કક્ષાનું ગણી, તેની ઉપેક્ષા કરે છે, તેની ઠેકડી ઉડાડી મજાકો કરી કડવા હળવા કટાક્ષો કરે છે તેવી જ રીતે લોકપ્રિય સાહિત્યને માનનારો એક વર્ગ પણ ઉચ્ચ, મહાન, સંકુલ અને અનેક સંકેતો ધરાવતા સાહિત્યને સ્વીકારતો નથી. એમના મતે આ ઉચ્ચભ્રૂ ભદ્ર વર્ગ દંભી અને કૃતક છે. આ અલગ અલગ ધ્રુવ પરની વિચારણામાં પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ બંને પોતપોતાના પૂર્વગ્રહોને, માન્યતાઓને સજાવી-ધજાવીને અને તર્કના આટાપાટાની જટાજાળમાં ગૂંથીને લોકપ્રિય સાહિત્યનું પૃથક્કરણ, અર્થઘટન અને મૂલ્યાંકન કરતા રહે છે. બંને પાસે પોતપોતાની માન્યતાઓને સંરક્ષવાની, તથા સ્વબચાવની યુક્તિપ્રયુક્તિઓ મોજૂદ જ છે. આમ તો આ બંને પક્ષો એક પ્રકારની સાંપ્રદાયિકતાથી પીડાય છે. આ પ્રકારની અસ્પૃશ્યતા બંને પક્ષોની મર્યાદા બની રહે છે. લોકપ્રિય સાહિત્ય મનોરંજન(entertainment)ને તો ઉચ્ચભ્રૂ સાહિત્ય આનંદ(plesure)ને પોતાના પ્રચાર-પ્રસારમાં કેન્દ્રવર્તી તત્ત્વ ગણે છે.
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''[‘નિરંતર’(2007), પૃ. 14]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits