અવતરણ: Difference between revisions

7,906 bytes added ,  04:23, 26 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 544: Line 544:
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''[નય-પ્રમાણ (2010)માંથી]'''}}
{{સ-મ||'''[નય-પ્રમાણ (2010)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૫૬.<br>કળા દ્વારા મનુષ્યત્વની ઓળખ'''</big>|
{{Poem2Open}}
અંતે એટલું કહેવાનું કે સાહિત્ય પ્રતિબદ્ધ હોય કે અપ્રતિબદ્ધ, એ આપણી ઘણી વિસ્મૃતિઓને ઢંઢોળે છે. નવેસરથી સ્મૃતિ, ભાષા, પરંપરા, સાંપ્રત પરિસ્થિતિઓ, વંચિતો, અન્યાય સહન કરનારાઓ, સત્તાનો ભોગ બનનારાઓ અને સાંસ્કૃતિક-અન્યોની સાથે આપણો મનુષ્ય તરીકેનો નવો સંબંધ સ્થાપે છે. કલાસાહિત્યની અનેકમાર્ગી ધારાઓ આખરે તો આપણી અંદર રહેલા પરંતુ ક્યારેક ક્યારેક ખોવાઈ જતા મનુષ્યની સન્મુખ આપણને લઈ જાય છે. તત્ત્વત: અનેકકેન્દ્રી, સંકુલ મનુષ્ય કલા-સાહિત્યમાં અનેક ભાષાઓથી લખાતો રહેતો હોય છે, દરેક રચનાના વાચને નવી નવી શોધ-યાત્રાનો આરંભ કરતો રહેતો હોય છે અને સૌંદર્યમીમાંસાનાં અનેક સ્થાનકો સાથે આપણો મેળાપ કરાવતો રહેતો હોય છે.
{{સ-મ||'''નીતિન મહેતા'''}}
{{સ-મ||'''[નય-પ્રમાણ (2010)માંથી]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૫૭.<br>યુગપરંપરા'''</big>|
{{Poem2Open}}
આપણી આજની સંવેદનશીલતા અને મધ્યકાળની સંવેદનશીલતા વચ્ચે ફરક રહેવાનો. આપણે ત્યારની સંવેદનશીલતાને કલ્પનાથી માણવાની છે. મધ્યકાળના એ બોધને એ યુગપરંપરા સાથે સાતત્ય કેળવીને સમજવાનો છે. પોતાનાં યુગલક્ષી મૂલ્યોને એમણે યુગધર્મી બનીને સાહિત્યના સાધન દ્વારા પ્રબોધ્યાં છે એ ધ્યાનમાં રાખીને જ એ સાહિત્યની તપાસ કરવાની રહે છે. એમાંના ઉત્તમ અંશો આજનાં ધોરણોની જિકરથી અવગણાઈ ન જાય એટલી તકેદારી રખાય તો પણ ઘણું. એ સમયે માનવચેતના વિવિધ કાવ્યરૂપોમાં કેવી પ્રગટી છે તે જોવાનું છે. આજનાં સાહિત્યસ્વરૂપો જે આનંદ આપણને આજે આપે છે એવો આનંદ એ સમયનાં સાહિત્યસ્વરૂપોમાંથી જુદા જુદા સ્તરના પ્રજા-સમૂહોએ મેળવ્યો છે. […] એ કવિઓએ માનવધર્મ સમજીને સાહિત્યને ઉપાસ્યું છે અને પોતાનું જે કંઈ હીર હતું એને એમાં વ્યક્ત થવા દીધું છે.
{{સ-મ||'''ચિમનલાલ ત્રિવેદી'''}}
{{સ-મ||'''[‘ભાવરેખ’, (2000), પૃ. 41]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૫૮.<br>સાહિત્યવિચાર અને સમજ'''</big>|
{{Poem2Open}}
સાહિત્યવિચારમાં અનેક પરિવર્તન થયાં છે, એનાથી રોમાંચ અનુભવવો એક વાત છે, એને સમજી-પચાવીને પોતાની નિષ્ઠા કેળવવી એ બીજી વાત છે. જ્યાં સુધી આ સમજવા-પચાવવાનું બનતું નથી ત્યાં સુધી બધિરતાનો જ અનુભવ થાય છે. વિજ્ઞાન ને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર ને નૃવંશશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન ને સૌંદર્યમીમાંસા – એમ જ્ઞાનની જુદી જુદી શાખામાં એક પછી એક અનેક પરિવર્તન થયાં છે, એક પછી એક અનેક અભિગમ પ્રગટ્યા છે, એક પછી એક અનેક સિદ્ધાંત સ્થપાયા છે. પ્રત્યેક પરિવર્તનને, પ્રત્યેક અભિગમને, પ્રત્યેક સિદ્ધાંતને સમજવા-પચાવવાનું ખરેખર દુષ્કર છે ને છતાં સમજવા-પચાવવા જેવું તો છે જ, કારણ કે પ્રત્યેક પરિવર્તન, પ્રત્યેક અભિગમ, પ્રત્યેક સિદ્ધાંત કોઈક ને કોઈક નવી સૂઝ તો વ્યક્ત કરે છે, અનુભવની નવી દિશા ઉઘાડી આપે છે. જ્ઞાનની અનેક શાખાઓએ સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, સાહિત્યમીમાંસા પણ કરી છે, ત્યારે કોઈક નવી સૂઝ વ્યક્ત કરી છે.
{{સ-મ||'''જયંત પારેખ'''}}
{{સ-મ||'''[ગુજરાતીનો અધ્યાપકસંઘનાં ‘પ્રમુખીય પ્રવચનો’ (1997)]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૫૯.<br>અનુવાદની ભાષા – પોતાની ભાષા'''</big>|
{{Poem2Open}}
ભાષાન્તરનું પ્રથમ કાર્ય તો એ હોવું જોઈએ કે જે ભાષામાં એ કરવામાં આવે તે જાણનારાઓ એ વિનાપ્રયાસે સમજી શકે; અર્થાત્ જો ગુજરાતીમાં ભાષાન્તર કર્યું હોય તો તે પહેલે તો ખરેખર ગુજરાતી જ હોવું જોઈએ. એક અંગ્રેજી સમાલોચક લખે છે તેમ Whatever else a translation may fail to do, it must talk its own language, અર્થાત્, બીજા ગમે તે દોષ ભાષાંતરમાં હોય, પણ તેણે પોતાની ભાષા તો બોલવી જોઈએ. મતલબ કે તે ભાષા જ એકલી જાણનાર કોઈ માણસ એ ભાષાન્તર વાંચે તો એને એમ ન લાગવું જોઈએ કે [આ] વાંચું છું તે મારી ભાષા નથી.
{{સ-મ||'''જહાંગીર સંજાના'''}}
{{સ-મ||'''[ ‘અનાર્યના અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits