અવતરણ: Difference between revisions

5,892 bytes added ,  04:29, 26 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 576: Line 576:
{{સ-મ||'''જહાંગીર સંજાના'''}}
{{સ-મ||'''જહાંગીર સંજાના'''}}
{{સ-મ||'''[ ‘અનાર્યના અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}}
{{સ-મ||'''[ ‘અનાર્યના અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૬૦.<br>મનુષ્યધર્મ'''</big>|
{{Poem2Open}}
ઇતિહાસમાં એ વાત અવિસ્મરણીય રહેશે કે જ્યારે ઉપલા વર્ગના અને વર્ણના પ્રતિષ્ઠિતો વિદેશી વિધર્મી સત્તા સાથે હાથ મિલાવી સ્વાર્થસાધના કરી રહ્યા હતા ત્યારે, અસંખ્ય ભક્તો-સંતો-કવિઓએ (ખાસ કરીને નીચલા વર્ગના ગણાય એમણે!) અસાધારણ જોખમો, અત્યાચારો અને મોત સુધ્ધાંને આવકારી લઈ વિષમ પરિસ્થિતિનું ચિત્ર આલેખ્યું હતું; અન્યાય અને અનાચાર, દંભ અને વિલાસ સામે નિર્ભયપણે, નિષ્ઠાપૂર્વક પડકાર ફેંક્યો હતો; અને આર્યધર્મની ઊખડી રહેલી ઈમારતના પાયામાં સાચા માનુષી ધર્મની પુન:સ્થાપના કરી સમસ્ત જનસમુદાયોને ધૈર્ય, હિંમત, વીરતા અને આસ્થાને પંથે દોરી હતી.
{{સ-મ||'''ભોગીલાલ ગાંધી'''}}
{{સ-મ||'''[ ‘મિતાક્ષર’ (1970), પૃ. 237 ]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૬૧.<br>દલિત આંદોલન'''</big>|
{{Poem2Open}}
રખે કોઈ એવું માની લે કે ‘આક્રોશ’ [સામયિક અને એના આંદોલન] પહેલાં દલિત સમસ્યાને લઈને કોઈ કવિતાસર્જન થયું નથી. દલિતો થકી પણ થયું છે ને બિનદલિતો થકી પણ. ભક્તિયુગ કે ગાંધીયુગમાં ક્વચિત્ લખાયેલા કવિતાસાહિત્યથીય પહેલાં દલિત તૂરી-કલાકારોની ભવાઈકવિતા દલિતકવિતાની જ પુરોગામી કવિતા છે. વર્ણ અને જ્ઞાતિને સાંકળતા સોશ્યલ સેટાયર ભવાઈકવિઓની વિશિષ્ટ અભિવ્યક્તિઓ હતી. આઝાદી પહેલાં અને પછીના સમયમાં ‘પેંથર’ની જેમ બીજાં દલિત-સામયિકોમાં દલિતવિષયક કવિતાઓ પ્રસંગોપાત્ત છપાતી હતી. ફર્ક હતો તો ‘દલિત સાહિત્ય’ કે ‘દલિત કવિતા’ની વિશિષ્ટ ઓળખ સાથેના નામાભિધાનનો, એક સમજણપૂર્વકના નિર્ધાર સાથે લોંચ થયેલા દલિત સાહિત્ય આંદોલનનો.
{{સ-મ||'''નીરવ પટેલ'''}}
{{સ-મ||'''[‘ગુજરાતી દલિત કવિતા’-સંપાદન(2010)ની પ્રસ્તાવના]'''}}
{{Poem2Close}}
}}
<br>
{{Center block|width=23em|title=<big>'''૬૨.<br>રસાનુભૂતિ : સંવેદના તેમજ બૌદ્ધિકતા'''</big>|
{{Poem2Open}}
રસાનુભૂતિ મુખ્યત્વે માનવહૃદયના સૂક્ષ્મ ભાવોની આજુબાજુ રચાય છે, પણ અધિકારી વ્યક્તિની બૌદ્ધિકતાનો આનંદ તેના ક્ષેત્રની બહારનો નથી. તેથી સાહિત્યિકતા, અથવા કલા, કેવળ ભાવોની અનુભૂતિમાં પર્યવસિત થતી નથી, બલકે તેમાં વિશાળ બૌદ્ધિકતાના ખેલને પણ અવકાશ છે. આથી જીવનની ક્ષુદ્રતા ઉપર ગંભીર ચંતિન પણ તેમાં વિષય બનીને આવી જાય છે. કલાનો મર્મ એટલે જ રસાનુભૂતિ. આથી, રસાનુભૂતિ એટલે કેવળ રતિ વગેરે આઠ કે નવ સ્થાયીભાવ કે તેત્રીસ વ્યભિચારી ભાવનો ઉત્કર્ષ અથવા ઉપચય – એટલું જ નહીં; કલામીમાંસા એટલે જે તે વિભાવાદિ સામગ્રીમાં જે તે સ્થાયી, વ્યભિચારીની લીલા સમજવી, સમજાવવી એટલું જ નહીં પણ તેમાં, અર્થાત્ રસાનુભૂતિના રહસ્ય રૂપે થતા તેના ચંતિનમાં, મેધાવીઓનો બુદ્ધિવિલાસ તથા કર્મઠ કર્મયોગીઓની નિર્મમ કલા-સાધના પણ સમાવેશ પામી જાય છે. રસસૂત્રનું આ જ રહસ્ય છે.
{{સ-મ||'''તપસ્વી નાન્દી'''}}
{{સ-મ||'''[‘ગુજરાતી વિવેચનનો અનુબંધ’-1, સંપા.ચંદ્રકાન્તટોપીવાળા]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
}}
}}
18,450

edits