વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 979: Line 979:
|[સ્વગત] કેવી પ્રતાપવંત કુમારિકા! મને મારી મરી ગયેલી દીકરી સાંભરે છે.
|[સ્વગત] કેવી પ્રતાપવંત કુમારિકા! મને મારી મરી ગયેલી દીકરી સાંભરે છે.
}}
}}
<center>'''દૃશ્ય પાંચમું'''</center>
[રાત્રી લીલાવતીનો પતિ ખભે કોટ નાખી અને ટોપી હાથમાં રાખી ચાલ્યો જાય છે. એના મોં પર વેદના છે. લીલાવતી પાછળ પાછળ આવે છે. શેરીને ખૂણે ઊભી રહી ધીરે સ્વરે બોલાવે છે.]
{{Ps
|લીલાવતી :
|એક વાર ઊભા રહેશો?
}}
{{Ps
|પતિ :
|[પાછળ ફરીને] કેમ? શું છે? અત્યારે બહાર દોડ્યાં અવાય? ઘરમાં મહેમાનો છે એટલું તો સમજ.
}}
{{Ps
|લીલાવતી :
|તમે ક્યાં જાઓ છો?
}}
{{Ps
|પતિ :
|આપઘાત કરવા નથી જતો કંઈ! નદીકિનારે જઈને બેસવું છે. માથું તપે છે.
}}
{{Ps
|લીલાવતી :
|મને તેડી જશો? મારું મન બહુ મુંઝાય છે.
}}
{{Ps
|પતિ :
|જરા વિચાર રાખ. બા-બાપુ ઘરમાં છે. મહેમાનોનું ટોળું છે.
}}
{{Ps
|લીલાવતી :
|અત્યારે ન જાઓ તો?
}}
{{Ps
|પતિ : કેમ?
લીલાવતી : મારો જીવ જંપતો નથી. તમે બેસો તો હું તમારા ખોળામાં થોડુંક રડી લઉં. મને રડવાનું મન થાય છે. નહિ રડું તો હિસ્ટેરીઆ આવશે.
પતિ : હિસ્ટેરીઆને તો મારે ક્યાં બોલાવવા જવું પડે તેમ છે? દિવસમાં દસવાર ભૂસ્કા ખાઓ છો. સારું! ખાઓ! હું દ્યાં સુધી પંપાળું? સહુ મારો જીવ લેવા શીદ ફરો છો?
[પતિ ચાલ્યો જાય છે. લીલાવતી વીંગ ઝાલીને ઊભી રહે છે. પતિની પાછળ તાકી રહે છે. માથું ઢાળી જાય છે. ‘અમે રે લીલૂડા વનની ચરકલડી’ એ વિમળાનું ગીત વાગે છે. ધીરે ધીરે લીલાવતી વીંગની પાછળ વળી જાય છે.]
26,604

edits