સંવાદસંપદા/હર્ષદેવ માધવ: Difference between revisions

પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 18: Line 18:


{{Poem2Open}}  
{{Poem2Open}}  
આપણા સરકારી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રીય સમાચાર બુલેટિન આપે એને એ માધ્યમોના ઉપભોક્તાઓ દ્વાર ખાસ આવકાર ન મળ્યો. બોલચાલની ભાષા તરીકે સંસ્કૃત બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી નથી. આ દેવભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના એક વિદ્વાન કાર્યશીલ છે, બલ્કે એ એમના જીવનનું ધ્યેય હોય એટલી નિષ્ઠાથી તેઓ સંસ્કૃત ભાષામાં છેલ્લા ચાર દાયકાથી લેખન-સર્જન કરતા રહ્યા છે. અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજના સંસ્કૃતના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા બહુભાષી સર્જક ડો હર્ષદેવ માધવે આપણને દોઢસોથી વધુ પુસ્તકો આપ્યાં છે, જેમાં સંસ્કૃત નાટક, હાઇકુ, તાન્કા, સીજો, ગઝલ અને મોનો-ઈમેજ જેવાં આધુનિક કાવ્યપ્રકારોના પુસ્તકો, નવલકથા, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક સર્જનો અને અનુવાદોનો સમાવેશ થાય છે. આધુનિક સંસ્કૃત સાહિત્ય, વેદ-પુરાણ, જ્યોતિષ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર એમના રસના વિષયો છે. એમને કલ્પવલ્લી એવોર્ડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના એવોર્ડ, ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય કાલિદાસ સન્માન, એમના કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, મોરારિબાપુ પ્રેરિત ‘વાચસ્પતિ એવોર્ડ’ ઉપરાંત અનેક સન્માનો પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. અનેક ભારતીય અને બિનભારતીય ભાષાઓમાં એમનાં કાવ્યોના અનુવાદો થયા છે. એમના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ  વિદ્યાર્થીઓએ મહાનિબંધ તૈયાર કરીને પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સર્જનશીલતા, સંસ્કૃત ભાષા-સાહિત્ય અને એના શિક્ષણ પ્રત્યેના એમના વિશિષ્ટ અભિગમનો પરિચય કરાવશે.  
આપણા સરકારી દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રીય સમાચાર બુલેટિન આપે એને એ માધ્યમોના ઉપભોક્તાઓ દ્વાર ખાસ આવકાર ન મળ્યો. બોલચાલની ભાષા તરીકે સંસ્કૃત બહુજન સમાજમાં સ્વીકૃતિ પામી નથી. આ દેવભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના એક વિદ્વાન કાર્યશીલ છે, બલ્કે એ એમના જીવનનું ધ્યેય હોય એટલી નિષ્ઠાથી તેઓ સંસ્કૃત ભાષામાં છેલ્લા ચાર દાયકાથી લેખન-સર્જન કરતા રહ્યા છે. અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજના સંસ્કૃતના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા બહુભાષી સર્જક ડો હર્ષદેવ માધવે આપણને દોઢસોથી વધુ પુસ્તકો આપ્યાં છે, જેમાં સંસ્કૃત નાટક, હાઇકુ, તાન્કા, સીજો, ગઝલ અને મોનો-ઈમેજ જેવાં આધુનિક કાવ્યપ્રકારોના પુસ્તકો, નવલકથા, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ, શબ્દકોશ, ઉપરાંત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં મૌલિક સર્જનો અને અનુવાદોનો સમાવેશ થાય છે. આધુનિક સંસ્કૃત સાહિત્ય, વેદ-પુરાણ, જ્યોતિષ, આયુર્વેદ, ધર્મશાસ્ત્ર અને મંત્રશાસ્ત્ર એમના રસના વિષયો છે. એમને કલ્પવલ્લી એવોર્ડ, સંસ્કૃત સાહિત્ય અકાદમીના એવોર્ડ, ગુજરાત રાજ્યનો ગૌરવ પુરસ્કાર, અખિલ ભારતીય કાલિદાસ સન્માન, એમના કાવ્યસંગ્રહ ‘તવ સ્પર્શે સ્પર્શે’ને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, મોરારિબાપુ પ્રેરિત ‘વાચસ્પતિ એવોર્ડ’ ઉપરાંત અનેક સન્માનો પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. અનેક ભારતીય અને બિનભારતીય ભાષાઓમાં એમનાં કાવ્યોના અનુવાદો થયા છે. એમના માર્ગદર્શન હેઠળ ૨૦થી વધુ  વિદ્યાર્થીઓએ મહાનિબંધ તૈયાર કરીને પી.એચ.ડી ની પદવી પ્રાપ્ત કરી છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સર્જનશીલતા, સંસ્કૃત ભાષા-સાહિત્ય અને એના શિક્ષણ પ્રત્યેના એમના વિશિષ્ટ અભિગમનો પરિચય કરાવશે.