અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/દીર્ઘકાવ્ય : થોડું ટાંચણ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૫. દીર્ઘકાવ્ય: થોડું ટાંચણ|ધીરુ પરીખ}}
{{Heading|૧૫. દીર્ઘકાવ્ય: થોડું ટાંચણ|ધીરુ પરીખ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અંગ્રેજીમાં થતાં ‘Long Poem' કે 'Longer Poem' જેવા પ્રયોગના ગુજરાતી પર્યાયરૂપે દીર્ઘકાવ્ય સંજ્ઞા પ્રચારમાં આવી છે. આમ તો આપણે ત્યાં 'રાસા', 'ફાગુ', 'બારમાસા', 'આખ્યાન’ જેવી દીર્ઘરચનાઓ રચાતી હતી. પરન્તુ એમનાં વ્યાવર્તક લક્ષણોને કારણે એ સહુને અલગ અલગ સંજ્ઞાથી ઓળખાવવામાં આવતી હતી. એ દીર્ઘકાવ્યરચનાઓ પોતાની આગવી લાક્ષણિકતાઓને કારણે સ્વતંત્ર કાવ્યરૂપની સંજ્ઞા પામી હતી. આથી આજે આપણે જેને માટે દીર્ઘકાવ્ય શબ્દપ્રયોગ કરીએ છીએ તેવી રચનાઓ મધ્યકાલમાં નહોતી. આમ, દીર્ઘકાવ્ય અર્વાચીન કાવ્યસંજ્ઞા છે. હા, એ કાવ્યસંજ્ઞા છે, પણ કાવ્યસ્વરૂપસંજ્ઞા નથી. આમ હોવાથી દીર્ઘકાવ્યનાં સ્વરૂપગત લક્ષણો નિશ્ચિત નથી, નિશ્ચિત હોઈ શકે નહિ, તો પ્રશ્ન થાય કે દીર્ઘકાવ્યસંજ્ઞા કેવા પ્રકારના કાવ્ય માટે વાપરવી? આનો ઉત્તર વ્યાખ્યાત્મક નહિ, પણ વર્ણનાત્મક હોઈ શકે, કારણ કે દીર્ઘકાવ્ય કોઈ સાહિત્ય સ્વરૂપલક્ષી સંજ્ઞા નથી.
અંગ્રેજીમાં થતાં ‘Long Poem' કે 'Longer Poem' જેવા પ્રયોગના ગુજરાતી પર્યાયરૂપે દીર્ઘકાવ્ય સંજ્ઞા પ્રચારમાં આવી છે. આમ તો આપણે ત્યાં 'રાસા', 'ફાગુ', 'બારમાસા', 'આખ્યાન’ જેવી દીર્ઘરચનાઓ રચાતી હતી. પરન્તુ એમનાં વ્યાવર્તક લક્ષણોને કારણે એ સહુને અલગ અલગ સંજ્ઞાથી ઓળખાવવામાં આવતી હતી. એ દીર્ઘકાવ્યરચનાઓ પોતાની આગવી લાક્ષણિકતાઓને કારણે સ્વતંત્ર કાવ્યરૂપની સંજ્ઞા પામી હતી. આથી આજે આપણે જેને માટે દીર્ઘકાવ્ય શબ્દપ્રયોગ કરીએ છીએ તેવી રચનાઓ મધ્યકાલમાં નહોતી. આમ, દીર્ઘકાવ્ય અર્વાચીન કાવ્યસંજ્ઞા છે. હા, એ કાવ્યસંજ્ઞા છે, પણ કાવ્યસ્વરૂપસંજ્ઞા નથી. આમ હોવાથી દીર્ઘકાવ્યનાં સ્વરૂપગત લક્ષણો નિશ્ચિત નથી, નિશ્ચિત હોઈ શકે નહિ, તો પ્રશ્ન થાય કે દીર્ઘકાવ્યસંજ્ઞા કેવા પ્રકારના કાવ્ય માટે વાપરવી? આનો ઉત્તર વ્યાખ્યાત્મક નહિ, પણ વર્ણનાત્મક હોઈ શકે, કારણ કે દીર્ઘકાવ્ય કોઈ સાહિત્ય સ્વરૂપલક્ષી સંજ્ઞા નથી.