19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| મુગત સે પરમાણ | }} {{Block center|<poem> '''જુગતસે નર જીવે જોગી''' {{right|'''મુગત સે પરમાણ રે''' }} '''દયા કફની પેર બાવા, નામ છે નિર્વાણ જી,''' '''ખમા ખલકો પેર અવધૂત, નામ છે આલેક જી—''' '''એવા એવા ગુરુ મારા, ગગન સુ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 24: | Line 24: | ||
{{right|'''જુગતસે નર જીવે જોગીo'''}} | {{right|'''જુગતસે નર જીવે જોગીo'''}} | ||
''' </poem>}} | ''' </poem>}} | ||
{{center|'''જુગતસે નર'''}} | |||
{{Poem2Open}} | |||
ભજનવાણી એકીસાથે બે કામ કરે છે. શબ્દના પ્રહારથી તે આપણા અહમ્નું કોચલું ભાંગી નાખે છે અને આત્મદર્શનનું અમૃતજળ પાય છે. ગોરખનાથ કહે છે તેમ ‘સબકૈં મારી, સબહૈં જિલાઈ' — શબ્દથી મારવાની અને શબ્દથી જીવતા કરવાની આ ક્રિયા છે. ગોરખનાથના આ ભજનમાં એ કળાની ઝાંખી થાય છે. પહેલો પ્રશ્ન તો એ કે યોગી પુરુષ કેવી રીતે જીવે? અને એ જીવવાની કળા તેને કેવી રીતે પ્રાપ્ત થાય? આ ભજનમાં તેનું ચોટદાર વર્ણન છે. ભજન કહે છે કે યોગીનર જીવે ‘જુગતસે,' યુક્તપણે. ગીતામાં કહ્યું છે : | |||
'युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु | |||
युक्तस्वप्राववोधस्य योगो भवति दुःखहा. | |||
યુક્ત આહાર-વિહાર, યુક્ત પ્રવૃત્તિ, યુક્ત નિદ્રા અને જાગૃતિ રાખનારને દુઃખોનો નાશ કરનારો યોગ સિદ્ધ થાય છે. ગમે તેવી પરિસ્થિતિમાં યથાયોગ્ય રીતે વર્તે તે યોગી. પણ આ યોગ સિદ્ધ થયો છે તેનું પ્રમાણ શું? ભજન કહે છે : ‘મુગતસે ૫૨માણ’ — યોગી કેટલો મુક્ત બન્યો એ તેનું પ્રમાણ. આપણાં કાર્યો તો ક્રિયા-પ્રતિક્રિયા અને આઘાત-પ્રત્યાઘાતના વિષચક્રમાંથી નીપજતાં હોય છે. પણ યોગીનાં વિચાર, વાણી અને કર્મ તો સ્વેચ્છાપૂર્વક સ્વ-નિર્ણયમાંથી પાંગરે. તે યુક્તપણે વર્તે છે કારણ કે બહારના પ્રભાવથી તે મુક્ત છે. મુક્તિનો આ માપદંડ જ યોગી કેટલો યોગારૂઢ થયો તેનું પ્રમાણ છે. | |||
સર્વ સાથે યુક્ત થવાના પ્રદેશમાં આ મુક્તિનું ઝરા વહે ત્યારે તેની ગતિ કેવી હોય? | |||
{{Poem2Close}} | |||
{{center|દયા કફની... ખમા ખલકો}} | |||
{{Poem2Open}} | |||
સર્વ પ્રત્યે દયા-કરુણા એ પહેલો ભાવ અને બીજાઓ તરફથી અવરોધ કે આઘાત આવે ત્યારે ક્ષમા એ બીજો ભાવ. માણસ કેવો વહેતો રહે છે અને વિરોધને સમાવતો જાય છે તેમાં તેનું સામર્થ્ય છે. પણ પોતાની જાતનાં બંધનો તોડ્યા વિના એ જ બનતું. ભજન કહે છે : સાધુ, કોઈ નામ-રૂપના અને વેશભૂષાના ઓળામાં તું બંધાઈ જા એ કેમ ચાલે? દયાની કફની પહેર, ક્ષમાનો આલખલો ધારણ કર, કારણ કે તારું સાચું નામ તો નિર્વાણ છે, જ્યાં ઇચ્છા માત્રનું વિસર્જન થઈ જાય છે. તારું સાચું સ્વરૂપ તો અલખ છે, જ્યાં આંગળી ચીંધી શકાય એવા ઓળખ-પારખના સર્વ બિલ્લા સરી પડે છે. | |||
દયાની કફની અને ક્ષમાના ખલકાની વાત ભજન કરે છે ત્યારે કિર્કગાર્ડનાં વચનો યાદ આવે છે. તેણે વર્ક્સ ઑફ લવ'માં કહ્યું છે કે આપણે આપણાં નામ-રૂપનાં વસ્ત્રો બહુ ચુસ્ત રીતે પહેરીએ છીએ. પછી એ વસ્ત્રો ઉતારવાનો વારો આવે છે ત્યારે બહુ તકલીફ પડે છે. એટલે સમજીને આ વસ્ત્રો ઢીલાં પહેરીએ, ગાંઠ ઓછી વાળીએ તો આપણો પાઠ ભજવ્યા પછી આ વસ્રો ઉતારતાં તકલીફ ઓછી પડે. પણ જેણે વસ્ત્રો તો ઢીલાં પહેર્યાં ને એ વળી દયા-ક્ષમાના તાણા-વાણાથી વણ્યાં એ તો આ વસ્ત્રો સાથે જ મુક્ત ગગનમાં વિહરી શકે છે. | |||
{{center|એવા એવા ગુરુ મારા ગગન સુધી જાય રે }} | |||
આ ગગન સુધી જવાની વાત શી છે? પંચમહાભૂતના શરીર સાથે ચિત્તની જે એકતા વણાઈ ગઈ છે એ જ મૂળ ગ્રંથિ છે. અને આ ગ્રંથિભેદ થતો આવે તેને યૌગિક સાહિત્યમાં ચક્રભેદનના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુતત્ત્વ સુધી વિકારોનો સંભવ રહે છે. પણ આકાશતત્ત્વ સુધી પહોંચ્યા પછી ચિત્તની વિકૃતિ થતી નથી. એટલે જ એ ચક્રને વિશુદ્ધચક્ર નામ આપવામાં આવ્યું છે. પણ આ વિશુદ્ધિ એ છેલ્લો મુકામ નથી, ‘નિત્ય સત્ત્વસ્થ'ની ભૂમિકા છે. ત્યાર પછી ભજન કહે છે તેમ ‘સૂનમાં સમાય' અંતે અહંનો સર્વથા લય થઈ જાય છે. | |||
{{Poem2Close}} | |||
edits