33,055
edits
(+1) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
આ કાવ્ય લયમાં છે, લોકલયમાં છે, મરશિયાં જેવાં લોકકાવ્યોનો લય અહીં લોકભાષા સાથે પ્રગટ થયો છે — પ્રાસાનુપ્રાસોએ એને પોષ્યો છે. મિત્રો બેઠા હોય અને કૈંક માયાની કે જીવનની નિરર્થકતાની વાતો ચાલતી હોય ત્યારે લા૰ઠા૰ પોતાના પોતે રચેલા આ મરશિયાને તાલ/લયમાં ગાતા… જાણે નિરર્થકતાનો ઉત્સવ ઊજવતા હોય. લા૰ઠા૰ના મરણ બાદ લા૰ઠા૰નાં સંસ્મરણો વાગોળતાં ચિનુ મોદી પણ આ કાવ્યની પંક્તિઓ ગાઈને — મનોમન — જાણે પરંપરાગત અંજલિ આપે છે ને ભીની આંખો ફેરવી લે છે! ‘જણ જીવો જી’ — એ મરી જનારને થયેલું હયાતીવાચક સંબોધન છે. મૃત્યુ પામનારની પાછળ સ્વજન (સાવ અંગત એકબે પ્રિયજન હોય તે) –ની ઘવાયેલી ને નિરાધાર બની ગયેલી લાગણીઓને જુદે જુદે સંદર્ભે કવિ રજૂ કરે છે — જરા ઊંચે અવાજે ગાઈ દેખાડે છે : | આ કાવ્ય લયમાં છે, લોકલયમાં છે, મરશિયાં જેવાં લોકકાવ્યોનો લય અહીં લોકભાષા સાથે પ્રગટ થયો છે — પ્રાસાનુપ્રાસોએ એને પોષ્યો છે. મિત્રો બેઠા હોય અને કૈંક માયાની કે જીવનની નિરર્થકતાની વાતો ચાલતી હોય ત્યારે લા૰ઠા૰ પોતાના પોતે રચેલા આ મરશિયાને તાલ/લયમાં ગાતા… જાણે નિરર્થકતાનો ઉત્સવ ઊજવતા હોય. લા૰ઠા૰ના મરણ બાદ લા૰ઠા૰નાં સંસ્મરણો વાગોળતાં ચિનુ મોદી પણ આ કાવ્યની પંક્તિઓ ગાઈને — મનોમન — જાણે પરંપરાગત અંજલિ આપે છે ને ભીની આંખો ફેરવી લે છે! ‘જણ જીવો જી’ — એ મરી જનારને થયેલું હયાતીવાચક સંબોધન છે. મૃત્યુ પામનારની પાછળ સ્વજન (સાવ અંગત એકબે પ્રિયજન હોય તે) –ની ઘવાયેલી ને નિરાધાર બની ગયેલી લાગણીઓને જુદે જુદે સંદર્ભે કવિ રજૂ કરે છે — જરા ઊંચે અવાજે ગાઈ દેખાડે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી | {{Block center|'''<poem>‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ જીવો જી | ||
હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.’</poem>}} | હૈયાનાં ખાલીખમ ફળિયાં રે જણ જીવો જી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘ઠાકર’ એટલે લાભશંકર ‘ઠાકર’! (ઘડીક ‘ઠાકર’ કહેતાં ત્રભાણામાં બિરાજી ન્હાતા ઠાકોરજી પણ આંખમાં બલકે મનમાં હાજર થઈ જાય છે ખરા! પણ અહીં એ ‘ઠાકોરજી’ વગરના ‘ઠાકર’ની વાત છે.) લા૰ઠા૰એ હયાતીમાં લખેલું આ પોતાનું મરશિયું છે — એમાંય વાત તો નિરર્થકતાની જ કરેલી છે. જે આંખો વ્હાલ વરસાવતી કે ક્રોધે રાતીપીળી થાતી હતી તે હવે બોરના ઠળિયા જેવી ઠાલી થઈ ગઈ છે — હવે કીકી કશું જોતી — કહેતી નથી! ઠળિયા જેવું હોવું કશા કામનું નથી. હૈયાનાં ફળિયાં ખાલીખમ થઈ ગયાં છે — કોનાં હૈયાનાં ફળિયાં? –ની વાત છે? પાછળ મરશિયું ગાવા મજબૂર બનેલા સ્વજનના હૈયામાં હવે પડસાળ — આંગણું — શેરીનો એકસામટો સૂનકાર ફરી વળ્યો છે. ફળિયાનું હોવું પણ શૂન્ય થઈ ગયું છે! હવે બોલનારા નથી, બેઠક નથી. પગરવ નથી, આવનજાવન નથી! બધું ખાલીખમ થઈ ગયું છે! ‘ઠાકર’ — ચેતના — પરમતત્ત્વનો અંશ ચાલી જતાં દેહમાં પણ આવો જ ખાલીપો વ્યાપી જતો હશે — આવી વ્યંજના — કવિને અભિપ્રેત ન હોય તોય — ભાવકના ચિત્તમાં જાગે છે. | ‘ઠાકર’ એટલે લાભશંકર ‘ઠાકર’! (ઘડીક ‘ઠાકર’ કહેતાં ત્રભાણામાં બિરાજી ન્હાતા ઠાકોરજી પણ આંખમાં બલકે મનમાં હાજર થઈ જાય છે ખરા! પણ અહીં એ ‘ઠાકોરજી’ વગરના ‘ઠાકર’ની વાત છે.) લા૰ઠા૰એ હયાતીમાં લખેલું આ પોતાનું મરશિયું છે — એમાંય વાત તો નિરર્થકતાની જ કરેલી છે. જે આંખો વ્હાલ વરસાવતી કે ક્રોધે રાતીપીળી થાતી હતી તે હવે બોરના ઠળિયા જેવી ઠાલી થઈ ગઈ છે — હવે કીકી કશું જોતી — કહેતી નથી! ઠળિયા જેવું હોવું કશા કામનું નથી. હૈયાનાં ફળિયાં ખાલીખમ થઈ ગયાં છે — કોનાં હૈયાનાં ફળિયાં? –ની વાત છે? પાછળ મરશિયું ગાવા મજબૂર બનેલા સ્વજનના હૈયામાં હવે પડસાળ — આંગણું — શેરીનો એકસામટો સૂનકાર ફરી વળ્યો છે. ફળિયાનું હોવું પણ શૂન્ય થઈ ગયું છે! હવે બોલનારા નથી, બેઠક નથી. પગરવ નથી, આવનજાવન નથી! બધું ખાલીખમ થઈ ગયું છે! ‘ઠાકર’ — ચેતના — પરમતત્ત્વનો અંશ ચાલી જતાં દેહમાં પણ આવો જ ખાલીપો વ્યાપી જતો હશે — આવી વ્યંજના — કવિને અભિપ્રેત ન હોય તોય — ભાવકના ચિત્તમાં જાગે છે. | ||