ભરત વિંઝુડાની ગઝલસંપદા/તરસ લાગે

Revision as of 10:18, 20 November 2025 by Meghdhanu (talk | contribs) (Inserted a line between Stanza)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬૧
તરસ લાગે

હોય તું જળ અને તરસ લાગે,
એમ તારી મને તરસ લાગે.

તું કરે એમ મારે કરવું છે,
શું કરે જો તને તરસ લાગે.

એ દુઆ હું કરું છું, તું પણ કર,
આમનેસામને તરસ લાગે.

ડોલ કે દોરડુંય હોય નહીં,
એમ કૂવા કને તરસ લાગે.

જેની નીચે વહી જતાં વાદળ,
એ ઊંચા આસને તરસ લાગે.

(ચિત્તની લીલાઓ)