બાબુ સુથારની કવિતા/એટલે કે મરી ગયેલા આગિયા

Revision as of 02:53, 30 December 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૩૭. એટલે કે મરી ગયેલા આગિયા

એટલે કે
મરી ગયેલા આગિયા
અને ખરી પડેલા તારાઓની વચ્ચે
ઊભા રહીને
ખરતા પાંદડાંને
મનુષ્ય હોવાની શાહેદી આપવી.

(‘લખવું એટલે કે...’ માંથી)