સાહિત્ય પલ્લવ – ભાગ ૩/વ્રજ વહાલું રે

From Ekatra Foundation
Revision as of 09:59, 14 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩. વ્રજ વહાલું રે

દયારામ

વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું,
મને ન ગમે ચતુર્ભુજ થાવું, ત્યાં મુજ નંદકુંવર ક્યાંથી લાવું! વ્રજ૦
સોહિયે લલિતા ત્રિવેણીમાં રે ગિરિધારી,
એને સોહિયે જ્યાં રાધા પ્યારી; તે વિના આંખ ન કરે મારી. વ્રજ૦
ત્યાંહાં શ્રીવૃંદાવન-રાસ નહીં,
વ્રજવનિતા સંગ વિલાસ નહીં; વિષ્ણુ વેણુ વાયાનો અભ્યાસ નહીં. વ્રજ૦
સખી સ્વર્ગનું કૃષ્ણ વિના કડવું,
મને ન ગમે બ્રહ્મસદન અડવું; ધિક જન સુખ પામી પાછું પડવું. વ્રજ૦
ગુરુબળે ગોકુળવાસી થઈશું,
શ્રીવલ્લભ શરણે નિત્ય જઈશું; દયા પ્રીતમ સેવી રમી ગાઈશું. વ્રજ૦