સાહિત્ય પલ્લવ – ભાગ ૩/શું જાણે વ્યાકરણી?

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૪. શું જાણે વ્યાકરણી?

દયારામ

શું જાણે વ્યાકરણી વસ્તુને, શું જાણે વ્યાકરણી?
મુખ પર્યંત ભર્યું ધૃત, તદપિ સ્વાદ ન જાણે બરણી. વસ્તુ૦
સુંદર રીતે શાક વઘાર્યું, ભોગ ન પામે ભરણી;
અંતર માંહે વસે અગ્નિ, પણ આનંદ પામે ન અરણી. વસ્તુ૦
નિજનાભિમાં કસ્તૂરી, પણ હર્ષ ન પામે હરણી;
દયો કહે ધન દાટ્યું ઘણું, જ્યમ ધનવંત કહાવે નિર્ધની. વસ્તુ૦