મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭.જયશેખર સૂરિ-ત્રિભુવનદીપક પ્રબંધ
૭.જયશેખર સૂરિ-ત્રિભુવનદીપક પ્રબંધ
રમણ સોની
જયશેખરસૂરિ (૧૪મી ઉત્તરાર્ધ–૧૫મી પૂર્વાર્ધ) ‘કવિચક્રવર્તી’ ગણાયેલા આ સંસ્કૃતજ્ઞ કવિ અંચલ ગચ્છના જૈન સાધુ હતા.પોતાની ‘પ્રબોધચિંતામણિ’ નામની સંસ્કૃત કૃતિ પરથી એમણે લખેલી ગુજરાતી કૃતિ ‘ત્રિભુવન-દીપક પ્રબંધ’ ૪૦૦ ઉપરાંત કડીઓની દુહા, ચોપાઈ, અક્ષરમેળ-માત્રામેળ છંદો, ગીતોમાં લખાયેલી વિશિષ્ટ કૃતિ છે. એ ઉપરાંત એમણે સ્તવન આદિ બીજી રચનાઓ પણ કરી છે.
‘ત્રિભુવન-દીપક પ્રબંધ’-માંથી
(આ રૂપક કાવ્ય છે. આત્મારૂપી રાજા નામે પરમહંસ. એને માયા પોતાના રૂપમાં ફસાવે છે ને પ્રિય રાણી ચેતનાથી જુદો પાડે છે.....એમ કથા આગળ ચાલે છે ને છેવટે પરમહંસનું ચેતના સાથે મિલન થાય છે. કૃતિ સરળ-પ્રાસાદિક છે.)
----------------------