અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો

From Ekatra Wiki
Revision as of 18:05, 21 August 2021 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search
વત્સલનાં નયનો

‘કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ

તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
         વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
         એ જખમી દિલનાં શયનો!