અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /આપણી સમજણને
આપણી સમજણને
સાહિલ પરમાર
આપણી સમજણને લૂણો હોય છે,
શબ્દ ક્યાં ક્યારેય ઊણો હોય છે?
હો ક્ષણો દેખાવમાં જળવત્ ભલે,
ભીતરે ધગધગતો ધૂણો હોય છે;
મૃગજળો પાસેથી સાંભળવા મળ્યું,
રણને પણ એક ભીનો ખૂણો હોય છે;
છો નર્યો પથ્થરિયો ચહેરો લઈ ફરે,
આદમી ભીતરથી કૂણો હોય છે;
મન મીરાંની જેવું ‘સાહિલ’, જોઈએ,
સાહ્યબો સહુનો સલૂણો હોય છે. આપણી સમજણને
આપણી સમજણને લૂણો હોય છે,
શબ્દ ક્યાં ક્યારેય ઊણો હોય છે?
હો ક્ષણો દેખાવમાં જળવત્ ભલે,
ભીતરે ધગધગતો ધૂણો હોય છે;
મૃગજળો પાસેથી સાંભળવા મળ્યું,
રણને પણ એક ભીનો ખૂણો હોય છે;
છો નર્યો પથ્થરિયો ચહેરો લઈ ફરે,
આદમી ભીતરથી કૂણો હોય છે;
મન મીરાંની જેવું ‘સાહિલ’, જોઈએ,
સાહ્યબો સહુનો સલૂણો હોય છે.