ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અક્ષરા

From Ekatra Wiki
Revision as of 16:09, 8 November 2021 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અક્ષરા'''</span>  ‘અક્ષરા’ની સ્થાપના ૧૯૭૯માં વડો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અક્ષરા  ‘અક્ષરા’ની સ્થાપના ૧૯૭૯માં વડોદરા શહેરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ આપવા કરવામાં આવી. આ સંસ્થા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પ્રતિવર્ષ સત્રો યોજી સાહિત્યનાં વિવિધ પાસાં અને નવી વિભાવનાઓની ચર્ચા કેન્દ્રમાં રાખે છે. ‘અક્ષરા’ પ્રતિમાસ એક કાર્યક્રમનું આયોજન કરે છે. પરિસંવાદો અને શિબિરો યોજે છે. એની પ્રતિષ્ઠિત વ્યાખ્યાનમાળાઓમાં કવિશ્રી ‘સુન્દરમ્’ વ્યાખ્યાનમાળા, શ્રી શિવશંકર શુક્લ વ્યાખ્યાનમાળા અને શ્રી ભાઈલાલ કોન્ટ્રાક્ટર વ્યાખ્યાનમાળા છે. ઉપરાંત ‘સત્રસંવાદ’ને નામે યોજાયેલાં સત્રોમાં રજૂ થયેલા નિબંધોના સંચયો પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા એના પદાધિકારીઓ અને કાર્યવાહકો લોકશાહી ઢબે નીમે છે. મ.ઓ.