અભિમન્યુ આખ્યાન/કડવું ૨૨
કડવું ૨૨
[અભિમન્યુની કથા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોઈને કથાકાર પ્રેમાનંદ દ્યૂત, પાંડવોનું વનગમન વનવાસ, ગુપ્તવાસ વગેરે મહાભારતના પ્રસંગો અતિસંક્ષેપમાં સમેટી અભિમન્યુના પ્રસ્તુત કથાપ્રસંગ ઉપર આવે છે.
આ તેર વર્ષ અભિમન્યુએ મોસાળમાં વિતાવ્યાં. પાંડવો મત્સ્યદેશમાં છતા થયા. વિરાટરાજા તરફથી ઉત્તરાના લગ્નનો પ્રસ્તાવ મુકાતાં, યુધિષ્ઠિરે કૃષ્ણને ઉત્તરા-અભિમન્યુનો સંબંધ પસંદ પડે તો જાન જોડી લાવવાની વીનવણી કરતો પત્ર મોકલ્યો. કૃષ્ણ અભિમન્યુની જાન જોતરીને થોડે દિવસે મત્સ્યદેશ પહોંચ્યા.]