ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર

From Ekatra Wiki
Revision as of 11:18, 29 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર'''</span> : સોવિયેટલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર : સોવિયેટલેન્ડ અર્થાત્ રશિયા દ્વારા જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં, ભારતીય અને રશિયન સંસ્કૃતિને સર્જન તેમજ અનુવાદ સ્તરે સાંકળતા સાહિત્યિક યોગદાન બદલ અપાતો પુરસ્કાર. આ પુરસ્કારથી પુરસ્કૃત થનારા સર્જકો તેમજ અનુવાદકોમાં શાંતા ગાંધી(૧૯૭૩), જ્યંત પાઠક(૧૯૭૪), યશવન્ત ત્રિવેદી (૧૯૭૮), ઉમાશંકર જોશી(૧૯૭૯), સુધીર દેસાઈ(૧૯૮૦), પ્રાગજી ડોસા(૧૯૮૩). તથા જશવન્ત ઠાકર(૧૯૮૬)નો સમાવેશ થાય છે. ર.ર.દ.