ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સોવિયેટલેન્ડ નહેરુ પુરસ્કાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોવિયેટલૅન્ડ-નહેરુ પુરસ્કાર : સોવિયેટલેન્ડ અર્થાત્ રશિયા દ્વારા જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં, ભારતીય અને રશિયન સંસ્કૃતિને સર્જન તેમજ અનુવાદ સ્તરે સાંકળતા સાહિત્યિક યોગદાન બદલ અપાતો પુરસ્કાર. આ પુરસ્કારથી પુરસ્કૃત થનારા સર્જકો તેમજ અનુવાદકોમાં શાંતા ગાંધી(૧૯૭૩), જ્યંત પાઠક(૧૯૭૪), યશવન્ત ત્રિવેદી (૧૯૭૮), ઉમાશંકર જોશી(૧૯૭૯), સુધીર દેસાઈ(૧૯૮૦), પ્રાગજી ડોસા(૧૯૮૩). તથા જશવન્ત ઠાકર(૧૯૮૬)નો સમાવેશ થાય છે. ર.ર.દ.